________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭
)
ચંદન અંગે ચર્ચતા, એ તન પર અંગાર;
હેં મુજ નજરે નિરખિયા, નવ કર મમત લગાર. ૫ કમળ નિર્મળ કાય છે, જોબનમાં ઝલકાય;
ચતુરાએ ચાલી ગઈ, નવ કર મમત લગાર. ૬ કુલ્યાં તે કરમાય છે, વણસે છે વ્યાપાર;
રાવણ સરખા ના રહ્યા, નવ કર મમત લગાર. ૭ અ ઉપર બેસતા, શૂર તણું સરદાર;
મશાણના વાસી થયા, નવ કર મમત લગાર. ૮ રક્ષણ તેય કરે નહી, જબરે જમનો માર;
આખર દિવસ આવશે, નવ કર મમત લગાર. ૯ અજિત કહે સમજી અને, કર પ્રભુ સાથે પ્યાર; ઝાકળ બિન્દુ જગત છે, નવ કર મમત લગાર. ૧૦
જ્ઞાન -( રૂ૦૬).
આવતા કેમ નથી શા મલડા–એ રાગ. જાતા કેમ નથી? ભજનમાં, જાતા કેમ નથી ? ગુરૂ પ્રભુના ગુણ નેહ કરીને, ગાતા કેમ નથી ? જાતા-ટેક. પરમ ગુરૂના પગલે રાજી, થાતા કેમ નથી ? જાતા-૧ ભજનસ્વરૂપી ભાતું ખાંતે, ખાતા કેમ નથી ? જાતા-૨ તરસ્યાં જનને પાણી જગમાં, પાતા કેમ નથી ? જાતા-૩ ધર્મકરમના ધંધા માંહી, ધોતા કેમ નથી ? જાતા-૪ ચિત્ત વિષે ચિઘનને પ્રેમ, હાતા કેમ નથી ? જાતા-પ નેહ વેલથી ભજન છાપરી, ચહાતા કેમ નથી ? જાતા-૬ અજિત કહે કે જ્ઞાન ગંગમાં, ન્હાતા કેમ નથી? જાતા-૭
For Private And Personal Use Only