________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩)
જર મેળવ્યાનું જોર છે, આશા અનંત અપાર છે; જૂઠમાં જનમ વહી જાય છે, પણ કયાં જવાની વાર છે? ધા. ૨ ઘાડા રહે ઘડાળમાં ને, પડી રહ્યો પરિવાર છે; ધન ધામ તજીને ચાલવું, પ્રભુ નામને આધાર છે. ધા. ૩ તન ધન ત્રિયાના તેજમાં, ઓ ભાઈ ? શીદ અંજાય છે, ઘાંટી ઘણી છે આકરી, જ્યાં મરણની તક થાય છે. ધા. ૪ આશા અને તૃષ્ણ બધી, ઉધી વળે પળ વારમાં દેવે જવાબ પડે બધેયે, દેવના દરબારમાં.
ધા. ૫ ધનવંત કૈક ઢળી પડયા. રાજાધિરાજ નથી રહ્યા; છે જવાળ મટી કાળની, હવે ધાર દિલમાંહી દયા. ધાત્ર ૬ મહેમાન જેવો માનવી, આવી અને ચાલ્યા જશે, કહે અજિત ભજી પ્રભુ ભાવથી, ત્યારે આતમા ઉદ્ધારજે. ધા. ૭
સંસાર સાર (ર )
ભજન કરી લે ભજન કરી લે–એ રાગ. સાર છે અહીં સાર છે, પ્રભુ નામ એકજ સાર છે; આ વિશ્વની વાડ તણે, ભયથી ભર્યો વિસ્તાર છે. સાર. ૧ મિત્રો મળ્યા મનમાનતા, સ્નેહી મળ્યા સરદાર છે; પણ મૃત્યુને ભય આવતાં, એક નામને આધાર છે. સાર. ૨ જપ તપ બરાબર નવ બન્યાં, વૈરાગની રહી વાર છે; આ કઠિન કળજુગને વિષે, તે નામને આધાર છે. સાર. ૩ રૂપની ભરેલી સુંદરી, શેભી રહ્યો શણગાર છે; પરલેકમાં જાવું પડે, ત્યાં નામને આધાર છે. સાર. ૪
For Private And Personal Use Only