SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). થાજે અજિત? તું અજિત છે, તરૂ પુણ્ય કેરાં વાવજે; વિરાગ્ય વેલ્લી હૃદયમાં, વાવી અને વવરાવજે. વસ્થ રે (૨૭૬) ગજલ વાદલ નયન વરસ્યા કરે, નિશદિન નયન વરસ્યા કરે, ટેક. પ્રભુજી ગયા છે ત્યારથી, વર્ષ રૂતુ હારે ઘરે; કાળા કપલ બની ગયા, અંજન નયન વરસ્યા કરે. ૧ સ્તન યુગ્મગિરિ વચ્ચે થઈ, નદી આંસુની ચાલ્યા કરે, ભીંજાય હારી ચુંદડી, ને કંચુકી ભીંજ્યા કરે. ૨ દ્વારે ઉભી રહી ના શકું, કાયા શિથિલ થથર્યા કરે; આજે કઠિન પ્રભુજી થયા, પરવા અમારી નવ કરે. ૩ આભૂષણે પલળે અને, પટભૂષણો પલળ્યા કરે; તનડું અજિત પલળ્યા કરે, વિરહી હૃદય પલળ્યા કરે. ૪ તરુક્યા વારે ( ર૭૭) ગજલ. વ્હાલમ વગર તલસ્યા કરે, મ્હારૂં હૃદય તલસ્યા કરે, જુદા થયા જે દિવસથી, તે દિવસથી તલસ્યા કરે. ૧ નયનો સજળ તલસ્યા કરે, વચન પ્રબળ તલસ્યા કરે. ચાતક તલસતું સ્વાતિને, એવી રીતે તલસ્યા કરે. ૨ આખું શરીર તલસ્યા કરે, આખું ભુવન તલસ્યા કરે, વ્હાલાજીના વિર કરી, હરદમ હુદય તલસ્યા કરે. ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy