________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫) અમારા દેશના બાંધવ, અમારા એજ બાંધવ છે;
અમારી કાંતિ જોવાનું, અમારે દેશ દર્પણ છે. અમારાઅમારા દેશના પંડિત, અમારા એજ છે પંડિત,
અમારા દેશનું જોબન, અમારૂં એજ જેબને છે. અમારા-૩ અમારા દેશની લીલા, અમારી એજ લીલા છે;
અમારા દેશનું બંધન, અમારું એજ બંધન છે. અમારા-૪ અમારા દેશની ઈજજત, અમારી એજ ઈજજત છે;
અમારા દેશનું રૂંધન, અમારૂં એજ રૂંધન છે. અમારા-૫ અમારા દેશને આનંદ, અમારે એજ આનંદ છે,
અજિતનિજ દેશનાં તનમન, અમારાં એજ તનમન છે. અ-૬
પ્રાકના વાલોને. (૭૭)
ગઝલ. “નૃપ એક શીવાજી હતું, એવું કદાપિ ના કહે; - નરદેવ શીવાજી હતા, એવું સદા બાળક ! કહો. ૧ બળવાન લૂટારૂં હતું, એવું કદાપિ ના કહે; પણ દેશના રક્ષક હતા, એવું સરસ ભણતા રહો; ૨
૧ આત્મભાવે બધા બધુ છે. દુશ્મન માણસ નહિ પણ અસત તંત્ર છે.
૨ કેટલાંક પુસ્તકોમાં દેશદ્ધારક અને ધર્મોદ્ધારક મહાપુરૂષોને આવ્યો હતો. ગયો હતો. કપટી હતો, નાદાન હતો, વિગેરે તુચ્છ શબ્દો લખવામાં આવે છે અને બાળકો વાંચે છે. અંતે એ બાળકને જીવન પર્યત એવાજ સંસ્કાર પડી જાય છે. એને ઉદ્દેશીને આ કાવ્ય લખવામાં આવ્યું છે.
For Private And Personal Use Only