________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯). કાલીંગડામાં પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે;
સઘળા રસે રાગો અજિત, તાલે વિષે ગાજે હમે. ૧૦
અવતાર હૈ રાત્રે ધા (૨૫= )
ગજલ સોહિની. સુખસિંધુને સમર્યા નહીં, અવતાર હું શીદને ધર્યો,
વિષયે ઘી વિસર્યા નહીં, અવતાર હું શીદને ધર્યો. ૧ પરમાર્થમાં પ્રીતી નહીં, અવતાર હે શીદને ધર્યો; - નિર્મળ ગમી નીતિ નહીં, અવતાર હે શીદને ધર્યો, ૨ બ્રાંતિ હૃદયની નવ ટળી, અવતાર હે શીદને ધર્યો, આ નવરાઈ ઘવયે નવ મળી, અવતાર હું શીદને ધર્યો. ૩ જય જગ સાધન નવ બન્યાં, અવતાર હે શીદને ધર્યો,
નવ ઈણ આરાધન કર્યા, અવતાર હે શીદને ધર્યો. ૪ પાપ વિષે પૂરણ મતિ, અવતાર હું શીદને ધ;
મનને ગમી નહીં સન્મતિ, અવતાર હે શીદને ધર્યો. ૫ પંચાત કીધી પારકી, અવતાર હું શીદને ધર્યો,
નિશ્ચય કરી ગતિ નારકી, અવતાર હું શીદને ધ, ૬. છેષાગ્નિ દૂર કર્યો નહીં, અવતાર હું શીદને ધર્યો,
શુભ સંગ માંહી ઠર્યો નહીં, અવતાર હે શીદને ધર્યો. ૭ પૂરણ પ્રપંચ વિષે રમે, અવતાર હું શીદને ધર્યો;
પર પ્રાણીના દેહ દમ, અવતાર હું શીદને ધર્યો. ૮ કંકાસ મધ્ય ઉદાસ નહિ, અવતાર હે શીદને ધર્યો, ' ગુરૂ વચનમાં વિશ્વાસ નહિ, અવતાર હે શીદને ધર્યો. ૯
For Private And Personal Use Only