SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) માતા તણું પય પાનથી, ઉત્તમ ઘણું પીધા કરે; - સત્સંગ રસ મેક્ષાર્થ છે, અજિતાબ્ધિ તે પીધા કરે. ૧૦ વિશ્વાસ ના વારો. (૫૬) ગજલ સહિની. જૂઠું વચન વદનારને, વિશ્વાસ કદિયે નવ કરે; પરનારી કેરા ચારને, વિશ્વાસ કદિયે નવ કરે. લુચ્ચાઈથી લાચારને, વિશ્વાસ કદિયે નવ કરે; ને શઠ તણું સરદારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૨ અંતઃકરણ પર શમ નહીં, વિશ્વાસ તેને નવ કરે; બાહેંદ્રિ પર દમ નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૩ જય જોગનું સાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે; જ્યાં ઈષ્ટ આરાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૪ સુખમાં છકી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે, દુઃખમાં ડગી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૫ પર પ્રાણને હરનારને, વિશ્વાસ કદિયે નવ કરે; દુઃખ અન્યને દેનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૬ હદથી ઉપર વાચાળને. વિશ્વાસ કદિયે નવ કરે; ચરે અને ચાંડાળને, વિશ્વાસ કદિયે નવ કરે. ૭ વ્યસને તણ આધીન, વિશ્વાસ કદિયે નવ કરે; છે પરધર્મીના આધીન, વિશ્વાસ કદિયે નવ કરે. ૮ પરમાર્થના પરિત્યાગીને, વિશ્વાસ કદિયે નવ કરે ને સ્વાર્થના અનુરાગીને, વિશ્વાસ કદિયે નવ કરે. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy