SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬ ) તર્કટ બધાં તત્ક્ષણ તજે, અજિતાબ્ધિ એ ગાંધી હમે; - સત્સંગના સાધન સજે, એ વિશ્વના ગાંધી હમે. ૧૦ વધા વરો. (૫) ગજલ સોહિની. સત્સંગ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે; આનંદ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે. ૧ બીજું કશું બોલે નહીં, બહુ પ્રેમથી પીધા કરે; બસ એક તું બોલ્યા કરે, ડેલ્યા કરે પીધા કરે. ૨ ત્યાગી વિતંડાવાદને, રસરાજને પીધા કરે; ત્યાગી જગતના નાદને, નિર્વાદ થઈ પીધા કરે; ૩ ત્યાગી જગતના લોભને, નિર્લોભ થઈ પીધા કરે; ત્યાગી જગતના ક્રોધને, નિષ્ક્રોધ થઈ પીધા કરે. ૪ ગગા થકી પાવન પરમ, માટે જ તે પીધા કરે; સહુ ધર્મથી ઉત્તમ ધરમ, માટે જ તે પીધા કરે. ૫ બુક નથી ગરમાગરમ, માટે જ તે પીધા કરે; માખણ થકી પણ છે નરમ, માટે જ તે પીધા કરે. ૬ અજ્ઞાન રે જાય છે, માટે જ તે પીધા કરે; ચૈતન્ય શુદ્ધિ થાય છે, માટે જ તે પીધા કરે. ૭ ગાંજા થકી ઘણી ઘેન છે, માટે જ તે પીધા કરે; અમૃત સમી સુખદેણ છે, માટે જ તે પીધા કરે. ૮ ભાવટ માટે ભવ રોગની, માટે જ તે પીધા કરે; દુબધા માટે સહુ શેકની, માટે જ તે પીધા કરે. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy