________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ) મોહનના –(૦૨)
આવતા કેમ નથી શામેલડા–એ રાગ. મળતા કેમ નથી? મોહનજી? મળતા કેમ નથી ?,
મ્હારા મંદિર હામાં હજીયે, વળતા કેમ નથી-ટેક. તાપ જગતના માથે તપે તે, ટળતા કેમ નથી–મળતા. ૧ માનવ ભવના મધુરા ફેરા, ફળતા કેમ નથી મળતા. ૨ ચિત્તડા કેરા ચંચળ ભાવે, ચળતા કેમ નથી–મળતા. ૩ કઠણ હૃદયના કઠણ કાંકરા, ગળતા કેમ નથી મળતા. ૪ અટલ જગના ખુટલ વિચારે, ખળતા કેમ નથી મળતા. ૫ શરણ આવીને અરજ કરૂં, સાંભળતા કેમ નથી–મળતા. ૬ અઢળક થઈને સેવક ઉપર, ઢળતા કેમ નથી મળતા. ૭ અજીતતણા પ્રભુ વિરહ પંથ પ્રતિ, પળતા કેમ નથી મળતા. ૮ નદી સાધુની પેઠે પ્રભુમાં, ભળતા કેમ નથી–મળતા. ૯
દાતશત્રત-(૮૨)
લાવણી. જાણી જોઈ કદિ કઈક કાળે, હિંસા જીવની કરવી નહિ,
આત્મા કેરા ઘાતક માટે, અસત્ય વાણી ઉચ્ચરવી નહિ; પરધન પત્થર સરખું જાણું, કદિયે ચોરી કરવી નહીં;
પરદારામાં પ્રેમ કરીને, જાર ક્રિયા આદરવી નહીં. ૧ (એ રીતે સલ્લા માંહી, અતિ ઉત્તમ શિક્ષાજ કહિ.)
For Private And Personal Use Only