________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) વશાખાગચ્છ–(વયરી શાખા) શ્રીવીર-- ભુની તેરમી પાટે શ્રીવાસ્વામી થયા તે શ્રુતકેવલી હતા. તેમનાથી વજાશાખા ગચ્છની પ્રખ્યાતિ થઇ. અવંતીદેશમાં તુંબવનગામમાં ધન નામના શેઠ હતા તેને ધનગિરિ નામને પુત્ર હતો. તેણે દીક્ષા લેવાની ઈચ્છાથી લગ્ન કરવા ના કહી છતાં પણ તેમના પિતાએ ધનપાલ શેઠની સુનંદા પુત્રી સાથે તેમને પરણાવ્યા. સુનંદાના ભાઈ આર્યગિરિએ પ્રથમથી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સુનંદાને ગર્ભ રહ્યો એટલે ધનગિરિએ સિંહગિરિ પાસે દીક્ષા લીધી. સુનંદાને પુત્ર થયે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના મનમાં ચારિત્ર લેવાની ઈચ્છા થઈ. ધનગિરિ પુન: તે ગામમાં આવ્યા. તેની પૂર્વાવસ્થાની સુનંદા સ્ત્રીઓ, પુત્ર વારંવાર રૂદન કરીને સંતાપતો હોવાથી ધનગિરિ તેના ઘેર વહેરવા આવ્યા હતા તેને વહોરાવી દીધું. ધનગિરિ તેને બહારી ઉ. પાશ્રયમાં લાવ્યા. ઝેળી ભારે લાગવાથી ગુરૂએ વજનામ આપ્યું. શ્રાવિકાઓને સેં. તેમણે પારણામાં
For Private and Personal Use Only