________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂવરજી જગમાં ઉપકારી, જે અનેકાન્ત મતના ધારી; બુદ્ધિસાગર શુભ જયકારી.
મુનિવર૦ ૭
------
--
-
ગહેલી. ૯
मुनि महिमा. ( હાલા વીર જિનેશ્વર–એ રાગ. ) મુનિવર વૈરાગી ત્યાગી જગમાં જયકાર છે રે, ખરેખર બ્રહ્મદશાના ભેગી મુનિવર થાય છે રે; જંગમ તીર્થ મુનિવર સાચું, પ્રેમ ધરી મુનિપદમાં રાચું, જગમાં મુનિવર સાચા ઉપદેશક કહેવાય છે રે. મુનિવર૦ ૧ બાહી ઉપાધિના જે ત્યાગી, અન્તર ગુણના જે છે રાગી; સુખકર વૈરાગી શિવમંદિરમાંહિ જાય છે રે. મુનિવર૦ ૨ નિન્દા વિકથા દે વારે, આપ તરેને પરને તારે શાશ્વત સુખના સાધક જગમાંહિ વખણાય છે રે. મુનિવર૦ ૩ પરમ મહદય ત્રાદ્ધિ ધારી, ભાવદયાના જે ઉપકારી; બાધક ગો ટાળી સાધકમાંહિ જાય છે રે. મુનિવર૦ ૪ સિદ્ધદશાના જે અધિકારી, વદે પ્રેમે નરને નારી; સાચી આત્મદશાના ભેગી, મુનિ વર્તાય છે રે. મુનિવર૦ ૫ આત્મજ્ઞાનમાં જે રંગાયા, અનુભવ અમૃત ધ્યાને પાયા; પ્રેમે પરમભાવમાં ધ્યાન થકી રંગાય છે રે. મુનિવર૦ ૬. સમક્તિ દાતા મુનિ ઉપકારી, ધ્યાન દશાના જે છે ધારી; ભાવે બુદ્ધિસાગર મુનિવરના ગુણ ગાય છે રે. મુનિવર૦ ૭
For Private And Personal Use Only