________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). ગહેલી. ૨૯
समाधि पद. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ) અન્તરના અલબેલા સાહિબ રીજસે, ત્યારે થાશે સઘળાં કારજ સિદ્ધ જે. અષ્ટ સિદ્ધિ ઘરમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણનું પોતાને પરસિદ્ધ જે.
અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસનવાળી બેસજે, સુષુણ્ણા ભેદક આસનની રીત જે.
અન્તર, ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે, ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઈએ, અન્તર આતમ પરમાતમની સેવ જે.
અત્તર, ૩ નિર્વિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નર જે.
અત્તર. ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીર જે; ડશે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વતે તે ધીર જે.
અન્તર, ૫. અનેકાન્તદષ્ટિથી આતમ ઓળખી, પૂજે ધ્યાવે ગા શ્રી ભગવાન જે;
For Private And Personal Use Only