________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ. ૪
સુખ. ૫
( ૨૫ ) દીન દુ:ખી અધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકર્મને ના જે મનમાં પણ બુરું નહિ પરનું ચિંતો, સારામાં સારું છે ઘર વિદાસ જે. સુખની વેળા ભાગ્યથકી જે સંપજે, ત્યારે મનમાં કરે નહિ અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જે. જુગારીની સંગત કીજે નહીં કદી, કમિત્રોની સબત દુ:ખ દાતાર જે; કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને તજશે પ્યાર જે. માતપિતાની ભક્તિ કરીએ ભાવથી; સંકટ પડતાં કરવી પરને સહાય જે, નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગો ગુરૂને પાય જે. વચન વિચારી બેલો બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માન જે ગંભીર મનના થાશો સુખડાં સંપજે, સદગુરૂ ગુણનું કરવું જગમાં જ્ઞાન છે. સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રને ધરજે મન આચાર જે; બુદ્ધિસાગર સદગુરૂ સંગત કીજીએ, પામે તેથી ભવસાગરને પાર જે.
સુખ. ૬
સુખ. ૭
સુખ. ૮.
સુખ. ૯
-અન્ન ૦૨
—
For Private And Personal Use Only