SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ! પેથાપુરવાસી વિસારવાડ જૈન શેઠ સુરચંદભાઈ જમનાદાસના પરિવારને. પેથાપુરમાં શેઠ સુરચંદ જમનાદાસ જાણીતા પ્રતિષ્ઠિત શ્રાવક હતા, વેપારમાં બાહોશ હતા. નીતિથી વેપાર કરનારા હતા. તથા તે તેમના કુટુંબમાં વિશેષતઃ જૈન ધર્મનાપૂર્ણ શ્રદ્ધાળુ હતા. તેમના પરિવારમાં તેમને પાંચ પુત્ર હતા. (તેનાં નામ છગનલાલ સુરચંદ, હકમચંદ સુરચંદ, હાથીભાઈ સુરચંદ, લલ્લુભાઈ સુરચંદ તથા ભગુભાઈ સુરચંદ) તેમનું કુટુંબ મોટું છે. મોટા છોકરા છગનલાલના પુત્ર બુલાખીદાસના પુત્ર ચુનીલાલ હાલ અકેલામાં વેપારાર્થે રહે છે. તે ધર્મમાં શ્રદ્ધાળુ છે. બીજા પુત્ર હકમચંદ તેમના પુત્ર પાંચ છે. (તેમનાં નામ મોતીલાલ, અમથાલાલ, સોમચંદ, સાકરચંદ તથા ગીરધરલાલ ) તેમાં મોતીલાલ હકમચંદ પેથાપુરમાં રહે છે. તથા શેઠ અમથાલાલ હકમચંદ હાલ સાદરામાં વેપાર કરે છે. તથા સોમચંદ, સાકરચંદ તથા ગીરધરલાલ એ ત્રણ બંધુઓ વરાડ પ્રાંતમાં આકોલા ગામે વેપારાથે રહે છે. સર્વ પુત્રો ધર્મની શ્રદ્ધાવાળા છે. તથા ત્રીજા પુત્ર હાથીભાઈ સુરચંદ તેમના પૌત્ર માધવલાલ હાલ સાદરામાં રહે છે. તથા ચેથા પુત્ર લલ્લુભાઈ સુરચંદ તેમના પુત્ર દેલાભાઈ હાલ સાદરામાં રહે છે અને ધર્મની શ્રદ્ધાવાળા છે. સુરચંદના સુપુત્રોએ ધ્યાન વિચાર છપાવવા માટે ગુરૂ મહારાજ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજીના ઉપદેશથી રૂ. ૫૦૦) શેઠ ભગુભાઈ સુરચંદની વિધવા શ્રાવક બાઈ વીજીના ધર્માર્થે કાઢેલા, તેમાંથી આ પુસ્તક છપાવા માટે આપ્યા છે. ભવિષ્યમાં જૈન ધર્મની ઉન્નતિનાં સારાં કાર્યો કરે એવા આશયથી તેમના કુટુંબને ધન્યવાદ આપવામાં આવે છે. તેઓ જૈન ધર્મનાં વધુ પુસ્તકો છપાવીને જૈન ધર્મની સેવા બજાવે એમ ઈચ્છવામાં આવે છે. વિ.સં. ૧૯૮૦ લી. વિજયાદશમી. ! અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, આશો ! For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy