________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
ધ્યાન વિચાર.
* * *
* * *
*
*
* ૦
જ્યારે ઘડપણ આવે છે, ચાલવાની શકિત હોતી નથી, ત્યારે વહાલા પુત્ર જેને ઘણુ પ્યારથી મોટા કર્યા હોય, તે પણ તે વખતે જુદા જુદા વિચારના થઈ જાય છે.
અહે! અહો! આ સંસારમાં કઈ કેઈનું નથી. ચેતન પરને પોતાનું માની અહંપણાને અભિમાન કરી કેમ કર્મ ઉપાર્જન કરે છે? હે ચેતન ! ધર્મ કરવામાં ઉદ્યમવંત થા. અને જાગ! જાગ ! અજ્ઞાનરૂપી નિદ્રાને ત્યાગ કર, અને મેહરૂપી દડું દૂર કર. પિતાના સ્વરૂપને વિચાર કર. તું અનંતજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીથી પૂર્ણ છે. અજ છે. અમર છે. અરૂપી છે. આ પગલિક વસ્તુ તારી નથી; એમ આત્મહિતાથી પુરૂષ ભાવના ભાવે.
હે ચેતન ! તું જમે ત્યારે કાંઈ સગાં વહાલાં, ભાઈ, બેન, સ્ત્રી, અને પુત્ર સાથે લઈ આવ્યા નહેાતે; તે શું હવે સાથે લઈ જવા ધારે છે? ફેગટ તે ઉપર કેમ મહ કરે છે ? જેમ એક વૃક્ષ ઉપર હજારો પંખીઓ રાત્રીએ આવી ભેગા થાય છે અને સવાર થાય ત્યારે કઈ જુદી જુદી દિશામાં ઉડી જાય છે. તેમ આ મનુષ્ય ગતિરૂપ વૃક્ષમાં સગાંવહાલાં સંબંધી ઘણા છે આવીને રહ્યા છે, પણ જ્યારે આયુષ્ય મર્યાદા આવી રહેશે ત્યારે સર્વ જુદી જુદી ગતિમાં ચાલ્યાં જવાનાં. કોઈ કોઈની સાથે જવાનું નથી. વળી હે ચેતન ! તારે રાગ જે ઉપર અત્યંત હોય છે. ત્યાં દ્વેષ પણ થાય છે. માટે રાગ અને દ્વેષને નિવારી સમભાવ ધારણ કરી, એકત્વભાવના ભાવ, કે જેથી કર્મ કલંક દૂર થાય, અને શાશ્વત સુખ પામે.
૫ અન્યત્વભાવના. આ સંસારમાં હે ચેતન ! તું કેઈન નથી, અને કઈ તારું નથી. માતા,પિતા, સ્ત્રી, પુત્ર,ભાઈ અને બેન પ્રમુખ સગાંવહાલાં સંબંધી
For Private And Personal Use Only