________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
જ્યાં સુધી તારાથી તેઓની કાર્યસિદ્ધિ થાય છે, ત્યાં સુધી તેઓના પ્રાણ સમાન તું તેઓને વહાલે છે. પણ કાર્ય (સ્વાર્થ) નહીં થયે છતે વૈરભાવ ધારણ કરશે. આ સ્વાર્થની મધુરી માયા!
સર્વે પિલિક વસ્તુ છે ચેતન ! તારાથકી ન્યારી છે, આ શરીર પણ ચેતનથકી ન્યારું છે, મન, વચન અને કાયાના યેગ પણ ચેતનથકી વ્યારા છે, છ વેશ્યાઓ પણ ચેતનથકી ન્યારી છે, આઠ કર્મની વર્ગણાઓ પણ ચેતનથકી ન્યારી છે, પાંચ ઈદ્રિયે પણ ચેતનથકી ન્યારી છે, અને ચેતનથી બાકીનાં પાંચ દ્રવ્ય ન્યારાં છે. ચેતનથકી ભિન્ન એવા પુદ્ગલ ઉપર મમતા ભાવ રાખવો નહીં. અનેક પ્રકારના ખાનપાન ઉપભેગ લેપન પ્રમુખથી શરીરની પુષ્ટિ ઈચ્છવી તે પણ ફેગટ છે. કદાચિત્ આ શરીરને કોઈ લાકડી પ્રમુખથી માર મારે, તે પણ સમતા રાખી સહન કરવું જોઈએ. વળી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયે છતે પણ સમતા રાખવી.
જે પુરૂષ અન્યત્વ ભાવના ભાવે છે, તેને શરીર, ધન, પુત્રાદિકના વિયેગથી દુઃખ થતું નથી. પરદેશી રાજાને સૂરિકતા રાણીએ ઝેર આપીને મારી નાખે, તેને અધિકાર રાય પણ સૂવથકી જાણો. તથા બ્રહ્માદત્તની માતા ચલણીએ પોતાના સ્વાર્થને માટે લાખના મહેલમાં પુત્રને, તથા તેની સ્ત્રીને સુવાડી અગ્નિ સળગાવ્યા, પણ તેનું આયુષ્ય હતું તે સુરંગ વાટે થઈ નીકળી જીવતે રહ્યો. જુવો! માતાને સ્નેહ પણ એટલો જ છે. વળી શ્રેણિક રાજાએ પોતાના પુત્ર કણકને લેહી પરૂવાળે અંગુઠો મુખમાં રાખે, પરૂ વગેરે ચુસ્યું, એટલે સ્નેહ પુત્ર ઉપર હતા, અને કેણુકની માતા ચેલણાને એ પુત્ર જીવંત રાખવાનો વિચાર નહોતે, પણ શ્રેણકે જેરાવરીથી કણકને ઉછેર્યો,તેજ કણકે પિતાને કાષ્ટના પાંજરામાં ઘાલે, જુઓ ! બારીકાઈથી જે તે જણાશે કે જગતમાં કેઈનું કઈ નથી.
For Private And Personal Use Only