SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ધ્યાન વિચાર. સર્વે મળી પાંચ વ્રતની પચીશ ભાવના કહી તે પ્રમાણે વર્તવાથી ધર્મધ્યાન થાય છે. તથા વીતરાગ ભગવંતે શ્રાવકનાં બારવ્રત કહ્યાં છે. તેને વિચાર ધર્મરત્નપ્રકરણ તથા શ્રીમદ આત્મારામજી મહારાજ કૃત જૈનતજ્વાદમાંથી જોઈ લે. નવતત્ત્વનું સ્વરૂપ વિતરાગ ભગવંતે કહેલું છે તે પ્રમાણે સત્ય કરી માને તથા સૂત્ર, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુકિત, ટીકા, વૃત્તિ, પરંપરા-ગુરૂક્રમથી ચાલતો આવેલે જે અનુભવ વ્યવહાર, એ પ્રમાણે સૂત્રના જે જે અંગ કહેલાં છે, તે સત્ય કરી માને તે વિરૂદ્ધ ઉપદેશ આપે નહીં. વીતરાગની આજ્ઞા લેપી આપમતિએ સ્વછંદી થાય નહીં. વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલવું મહાદુષ્કર છે. જે જે ઉત્સર્ગ અને અપવાદે વચને જીનેશ્વરે ભાખ્યાં છે તે ભવ્ય પ્રાણીઓના હિતસારૂ ભાખ્યાં છે. માટે ઉત્સર્ગમાર્ગને લેપી અપવાદે ચાલવું નહીં અને કારણ સર અપવાદનું સેવન કરવું એજ પ્રભુની આજ્ઞા છે. વ્યવહાર માર્ગને લેપ નિશ્ચયને પામવા જે પુરૂષ યત્ન કરે છે, તે માતાને ત્યાગ કરી વાંઝણીને ધાવવા જેવું કરે છે. તથા કિયા પૂજા, પડિકામણ, પિસહ, તીર્થયાત્રા, પડિલેહણ વગેરે ક્રિયામાર્ગ મૂકી જે એકાન્તનિશ્ચયમાર્ગ પકડે છે તે ઉભયભ્રષ્ટ થાય છે અને વીતરાગની આજ્ઞા ખંડન કરે છે. કઈ માનમાં આવી ઉત્સુત્ર ભાષણ કરે છે અને નવાં નવાં મનેકપિત વચને ઉચ્ચારે છે તે પણ વતરાગી આજ્ઞા વિરૂદ્ધ જાવું. વીતરાગ ભગવંતે જ્ઞાનશિયાખ્યાં મોત એટલે જ્ઞાન અને ક્રિયા એ બેવડે મેક્ષ કહ્યો છે, તે માને નહીં તે પણ આજ્ઞા વિરૂદ્ધ જાણ, તથા વિચારે જે આપ સ્વભાવમાં રમવું અને રાગદ્વેષની પરિણતિ દૂર નિવારવી. તેથી મેક્ષ થાય છે, તે ફેગટ પડિકમણ, પડિલેહણ કેમ કરવું? એમ જેમાને છે તે પિતાનું આત્મહિત કરી શક્તા નથી, વ્યવહારનયની મુખ્યતા રાખી, નિશ્ચયદ્રષ્ટિ For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy