SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પત્ર સદુપદેશ. ખમાવનારે પિતાના આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારવું જોઈએ. આત્માને આત્મભાવે દેખવામાં આવે અને મહત્તિને ભિન્નપણે અવલોકવામાં આવે તે આત્મા ખરેખર અહંવૃત્તિના પાશથી વિમુક્ત થાય છે. અહંવૃત્તિના પાશમાં પડેલે આત્મા અરે કોઈને ખમાવવાનો વિચાર કરી શકતો નથી. આત્માનું જ્ઞાન થતાં સર્વે આત્માઓ પિતાના સમાન ભાસે છે અને તેથી અન્યજીવોએ કમેગે દે, અપરાધે ગુન્હાઓ કરેલા છે. તે ભૂલાય છે. જે તેઓ પિતાના મૂળ સ્વરૂપે રમણતા કરતા હતા તે કદી દે–ગુન્હાઓ કરત નહિ. તે જીવની પાસે મેહે ગુન્હાઓ કરાવેલા છે એવું જ્ઞાન થતાં અન્યજીવો પતિ શુદ્ધભાવ રહે છે. અન્યજીવો કર્મથી દેશે અપરાધો સેવે છે તેથી જ્ઞાની, અન્યજીવોને લાગેલાં કર્મને નાશ કરવા કરણદષ્ટિથી ઉપાય ગ્રહણ કરે છે. બળવંત આત્માઓ સિંહની દૃષ્ટિધારણ કરીને અન્યજીવોની શુદ્ધદષ્ટિ કરવા પ્રયત્ન કરે છે કે જેથી તે છેવો ખરી ક્ષમાપના કરવાને શક્તિમાન થઈ શકે છે. મોહના ગે આત્મા અન્ય વસ્તુઓને પિતાની કલ્પી કલેશ પામે છે અને વૈર વિરેાધ વધારે છે. આત્મા સત્તાએ શુદ્ધ છે, બુદ્ધ છે, ત્રણ ભુવનને નાથ છે, અનંતજ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે. સિદ્ધનો ભાઈ છે. એવા આત્માની શુદ્ધ સત્તા ધ્યાતાં આત્માનું સિદ્ધપણું પ્રગટ થાય છે. આત્માને પરમાત્મ દશામાં લઈ જનાર ક્ષમાપના છે. મિથ્યાદુષ્કત દેઈ ખમાવ્યા બાદ પુનઃ વેર વિરોધ કઈ જીવની સાથે ન થાય એવો ભાવ ધારણ કરવો જોઈએ. પુનઃ દેજો, અપરાધ ન સેવવાની બુદ્ધિએ મિથ્યાદુષ્કત અને ક્ષમાપનાની આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે, પર્યુષણ પર્વની આરાધના કરનારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરી ખમવું જોઈએ. ખમાવવું જોઈએ, ઉપશમવું જોઈએ. ઉપશમાવવું જોઈએ. જે ખમે અને ખમાવે, જે ઉપશમે અને ઉપશમાવે તે આરાધક જાણુ. સર્વ સૂત્રમાં શિરમણભાવ ધારણ કરનાર શ્રી કલ્પસૂત્રમાં સામાચારીના વ્યાખ્યાનમાં ખમે અને ખમાવે તે આરાધક છે. તે સંબંધી નીચે પ્રમાણે પાઠ છે. खमियव्वं, खमावियव्वं, उपसमियव्वं, उवसामियचं, जोउवसमइ तस्सअथ्थि आराहणा. जो न उवसमइ तस्सनथ्थि आराहणा तह्माअप्पणाचेव उवसमियव्यंसेकिमाइंभंते ? उवતમારે તું સામર્મ | ૧૦ || For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy