________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૪૦
ખરેખરી ઉન્નતિ કરી શકે છે. અન્યદર્શનીના શાસ્ત્રમાં પણ ક્ષમાને ધારણ કરનાર પ્રભુને ખરેખર ભક્ત બની શકે છે એવા ઘણું પુરાવાઓ મળી આવે છે. અન્યોના અપરાધે ખમવામાં આત્મભોગ આપવો પડે છે અને ઉશ્કેરાયેલી વૃત્તિને શાન્ત કરવી પડે છે. બાહ્યભાવમાં પરિણમતા એવા આત્મબળને પિતાના સ્વભાવે પરિણમવાવવું પડે છે. અશુભવિચારેને પરિહાર કરીને શુભવિચારો કરવા પડે છે. વૈરના બદલાને ત્યાગ કરીને કરૂણાદષ્ટિ ખીલવવી પડે છે. આમ્રવના વિચારને સંવરના વિચારોમાં ફેરવવા પડે છે. આવી દશાએ અન્યોને ક્ષમાપના થઈ શકે છે માટે અને ખમાવવામાં આત્માનું ઘણું બળ વાપરવું પડે છે. અને તેથી આત્માનું ઘણું બળ પ્રગટે છે. શ્રીહરિભદ્રસૂરિએ ક્રોધના ઉપશમાથે સમરાદિત્યચરિત્ર બનાવ્યું છે. ક્ષમાપના કરનાર પ્રભુને ભક્ત ઠરે છે. જગતના જીવોને પવિત્ર કરવાને માટે આકાશમાંની ગંગાએજ ક્ષમાપનાનું રૂપ ધારણ કર્યું હોય એવાં ખામણું છે.
દરરોજ આવશ્યકક્રિયા કરતી વખતે સર્વ જીવોને ખમાવવા જોઈએ. પાક્ષિતિક્રમણ કરતાં તે વિશેષતઃ સર્વ જીવોને ખમાવવા જોઈએ. ચાતુર્માસિકપ્રતિક્રમણ કરીને તે વિશેષતઃ સર્વજીને ખમાવી નિર્મલ થવું જોઈએ. છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને તે સર્વજીવને સંભારી સંભારીને તથા રૂબરૂમાં જે જેની સાથે ક્રોધ, વૈર, અને કલેશ વગેરે થયા. હોય તેઓને ખમાવવા ઉદ્યમવંત થવું જોઈએ. પર્યુષણ પર્વની આરાધના સર્વને ખમાવ્યા વિના થતી નથી. ઉદાયીરાજાએ જેમ ઉજયેની નગરના ચંપ્રદ્યતન રાજાને અનિનમ્ર થઈ ક્ષમાપના કરી હતી તેમ સર્વજીની સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને સર્વજીને ખમાવવા જોઈએ. શ્રીમહાવીરપ્રભુએ પરસ્પર ક્ષમાપન કરવાની ક્રિયા દર્શાવીને દુનિયા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હાલમાં પ્રાય: જેની સાથે પ્રીતિ હોય તેની સાથે અન્ય કરેને ક્ષમાપના કરે છે. પણ જેની સાથે વૈર વિરોધ થયા હોય તેની સાથે ક્ષમાપના કરનારા જૈને વિરલા જણાય છે. ખરી રીતિ તે એ છે કે જેની સાથે વૈર, વિરોધ, કલેશ, મારામારી, અપરાધ, અને નિન્દા આદિ થઈ હોય તેઓને મન, વચન, અને કાયાથી ખમાવવાની વિશેષતઃ જરૂર છે. જૈન સાધઓએ પણ જે જે ગરછવાળા સાધુઓની સાથે ક્લેશ વગેરે થયા હોય તેઓને બને તે રૂબરૂમાં ખમાવવા જોઈએ. પરસ્પરને ખમાવવાની અને તદ્વારા આત્માની શુદ્ધિ કરવાને ઉપદેશ દેનારા શ્રીવીરપ્રભુને અસંખ્ય વાર વંદન થાઓ.
For Private And Personal Use Only