SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. આત્મા ઉપર દ્વેષ. ખેદ ધારણકર નહિ!!! પેાતાનાથી પૂજ્ય એવા મનુષ્યામાં પણ ગુણો અને દોષો રહેલા હોય છે. કાઇમાં ગુણે! વિશેષ હોય છે અને એક એ મેટા દુણા પણ હોય છે. દુર્ગા ટાળવા માટે જ્ઞાનીએ પણ પ્રયત્ન કરે છે. પૂજ્ય મનુષ્યેાના સદ્ગુણ્ણા તરફ રૂચિ ધારણ કર અને દોષ તરફ અલક્ષ રાખ. રાગી મનુષ્યમાં એક રાગ હાય તેથી સર્વથા તેને ત્યાગ કરવા ન ઘટે કારણ કે રાગને ટાળવાથી કાયદો છે રાગીનામાં સર્વ રાગાજ હાય અને તેના આત્મામાં કઇ ગુણો ન હોય એવા નિયમ નથી. રાગી દેષથી મુક્ત થયા બાદ ઉજવલ થવાના. રાગના ઉદય ભાગવીને રાગી પણ તિરાગી થવાના. રાગીના રાગથી રાગીના આત્મા ઉપર દ્વેષ ધારણ કર્યો હોય તેની ક્ષમાપના કરીને ભવિષ્યમાં પુનઃ જાગ્રત રહી આત્માન્નતિ કરવાની જરૂર છે. આપણા સંબંધમાં ઘણા મનુષ્યા આવે છે તેના આત્માઓને કાઇ પણ રીતે દુઃખવવામાં આવે છે. એવા દ્વેષના યેાગે સબધ પ્રાપ્ત થાય છે માટે જે જે પ્રતિદ્વેષપરિતાપ વગેરે કર્યાં હોય તે તે બાબતે સંભારી સંભારીને ઉદારદીલથી અન્યને ખમાવવા જોઇએ કે જેથી ભવિષ્યમાં વૈરની પરપરાએ ન ભાગવી શકાય. exe For Private And Personal Use Only લાખા વા કરોડ! ગુન્હાઓ જેઓએ કર્યા હાય, આપણુ સ થા પ્રકારે બુરૂ કરવા જેઓએ પ્રયત્ન કર્યાં હોય તેવા વા ઉપર પણ કરૂણા ધારણ કરીને માફી આપવી જોઇએ. આપણી નિન્દા કરનારાઓ હોય, આપણા ઉપર આળ ચઢાવનારા હોય તેવા વેા મેાહના તાબામાં આવી ગએલા હાવાથી તેઓ પોતાના આત્માની કિમ્મત સમજી ન શકે એમ બનવા યેાગ્ય છે અને તેથી આપણને ન ખમાવે તેાપણુ આપણે તે પોતાના આત્માને શુદ્ધ કરવા ક્ષમાપના કરવી જોઇએ એ આપા ધર્મ છે. પ્રાયઃ સબંધમાં આવનાર મનુષ્યાની સાથે દ્વેષ, ખેદ, ક્લેશ થવાને! સંભવ રહે છે. સબંધમાં આવનાર મનુષ્યાને, પશુઓને અને પખીને ખમાવવાની જરૂર છે. આપણુ જીવન ઉચ્ચ કરવાને ક્ષમાપનારૂપનિસરણી ઉપર ચઢવાની જરૂર છે. શ્રી મહાવીરપ્રભુએ ચકાશીયાસપ પર જેવી દૃષ્ટિ ધારી હતી તેવી દૃષ્ટિ ધારણ કરવાને ઉચ્ચ ક્ષમાની આવશ્યક્તા છે, સામથ્ય છતાં અપરાધીવાના ગુન્હાએની માફી આપવી એ ઉત્તમ ક્ષમાપના કહેવાય. ગંભીરતાનેા ત્યાગ કરીને તુચ્છતા ધારણ કરવાથી અનેક મનુનાં દીલ દુખાવ્યાં હાય તેની પણ પરમાત્માની સાક્ષીએ ક્ષમા માગવાની જરૂર છે. સાગરની પેઠે ગંભીર રહીને અન્યાના ભવપ્રાણુનુ રક્ષણ કરનારા ઉત્તમ મનુષ્યેાની ક્ષમાના ઇચ્છક
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy