SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. આપણા શે। હિસાબ ! છાસ્યદૃષ્ટિજીવ ભૂલે છે, અને આગળ પણ કારણ સામગ્રી પામી ચઢે છે. આપણે તો દોષીના ઉપર પણ શુદ્ધપ્રેમમૂળભૂત મૈત્રીભાવના ધારણ કરવી જોઇએ. આપણી ભૂલો જેમ કર્મના ઉદયથી થાય છે તેમ અન્યા પણ કર્મના ઉદયથી ભૂલ કરી શકે છે. માટે અન્યાના દોષોને ન દેખતાં ગુણાનુરામદષ્ટિથી તેના ગુણા દેખવા જોઇએ અને દોષીઓના દોષોથી દોષીએ ઉપર દ્વેષ ન પ્રગટે તેમ ઉદારદીલથી તેની સાથે ક્ષમાપના કરવી જોઇએ. અન્યાના દોષોથી અન્યા ઉપર દ્વેષ ધારણ કરવાથી કોઇ રીતે તે જીવાને તથા પોતાને ફાયદો થઇ શકતા નથી અને તેમજ અન્યાના દાષામાં ચિત્ત રાખવાથી તે તે દોષો પેાતાનામાં પ્રવેશ કરી શકે એવા સભવ રહે છે. કારણ કે દોષો ઉપર ચિત્ત રહેતાં દેાષાની સાથે ચિત્તને ધ્યેયકાર સબંધ થાય છે અને તેથી દોષષ્ટિ વધતી જાય છે અને પરિણામે એક દુથી અન્યદુર્ગંણા પ્રગટવાના સ ંભવ રહે છે. માનસિક દોષા ટાળવા માટે ઘણાકાળપર્યંત અભ્યાસ કરવા પડે છે. આપણી દૃષ્ટિએ સ!ક્ષાત્ જે અપરાધી લાગતા હોય છે તેમાં પણ ભૂલ થવાના સભવ રહે છે. અન્યાના હૃદયના વિચારાયા અવમેધવાની ઘણી જરૂર છે. ઘણાકાળપર્યંત તેના હૃદયની પાસે રહ્યાવિના તેના હૃદયની વિરૂદ્ધમત બાંધીને આપણે ભૂલ કરી વૈર વિધ વધારી શકીએ એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે અન્યાનાં હ્રદય તપાસીને તેનાથી વિદ્ જે જે અભિપ્રાયા આંધી અશુભવિચાર કર્યાં હોય તેની ક્ષમાપના કરવી જોઇએ. આપણા ધાર્યામાં અનેક ભૂલા આવી જાય. સર્વજ્ઞ વિના અન્યાના આશયે પરિપૂર્ણ ન જાણી શકાય. વિચારભેદથી કલેશ થવાના પ્રસંગ રહે છે. મતભેદથી પણ વ્યક્તિદ્વેષ થઇ શકે છે. જગમાં સર્વ જીવાના એકસરખા વિચાર। હ।તા નથી. ભિન્નભિન્નધર્મની ઉપાસના કરનારા મનુષ્યામાં અંશે અંશે કઇંક સત્ય અવલાકી શકાય છે. બાકી વીતરાગ શાસનવિના ભૂલો થવાને સંભવ રહે તેથી ભૂલે કરનારી વ્યક્તિએ ઉપર દ્વેષ ન ધારતાં મધ્યસ્થ~મત્રીઆદિ ભાવનાએ ધારણ કરવી એ વીતરાગને સત્ય માર્ગ છે. ધમ બધા ! ! ! ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરા ! સર્વજીવા પોતાના મિત્ર સમાન છે એવા દૃઢસંકલ્પકર. સર્વજીવાને હું ખમાવુંછું. નાના અને મેટા સર્વે જીવા મારા આત્મા તુલ્ય છે. એમ ભાવ ધારણ કરીને શુદ્ધપ્રેમદષ્ટિથી સર્વજીવાને દેખ. પૂર્વના અશુભ સબધાને ખસેડી નાખીને વસ્તુ આત્મદૃષ્ટિથી સર્વને દેખું છું એવા ભાવધારણકર. કાળા ગલામાં રહેલા મનુષ્યના આત્માને દેખ. કાળા ડગલાથી અન્તમાં રહેલા For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy