________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર
પત્ર સદુપદેશ.
નકામા પ્રસંગ વિનાના શબ્દોને બેલતા વારી આત્મકલ્યાણમાં મન અને વાણીને યોજે.
મુકામ માણસા. લેબુદ્ધિસાગર.
તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભતિકારક સુશ્રાવક આત્મારામ ખેમચંદ યોગ્ય તથા ભાઈ કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર પહોંચે. ગીતાર્થ ગુરૂના હૃદય સમીપ વસવાથી અનેક સ્વપન્નતિકારક વિચારેની શ્રેણિ
ને સુવ્યવસ્થાબદ્ધ અનુક્રમ અવબોધાયાથી પશ્ચાત તદનુસાર વિચાર શ્રેણિ પ્રવાહનું પ્રહવન થયા કરે છે. ગીતાર્થ સલ્લુરૂના વિચારમાં વર્તમાન તથા ભવિષ્યને ઉદય છે. એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત ખરૂં શિષ્યત્વ યાને સેવકત્વ પ્રાપ્ત થાય છે. સશુરૂને આત્મા પોતાનામાં શ્રદ્ધા ભક્તિદ્વારા ઉતરે અર્થાત શિષ્યના હૃદયમાં સશુરૂના ઉત્તમ વિચારે પ્રતિબિંબિત થાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાથી સ્વપરાત્માઓને ઉદ્ધારવાની શકિત પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાયથે સદ્દગુરૂ લેખિત જ્ઞાન ગ્રન્થો અને પ્રતિબંધિત વિચારોનું સ્મરણ મનન અને નિદિધ્યાસન કરવાની આવશ્યક્તા જણાવવામાં આવે છે. ગુરૂના પ્રક્ટ વા અપ્રકટ વિચારેનું પક્ષમાં મનન કરીને તેની જીવનમૂર્તિ રૂપ બનવું જોઈએ. યદિ આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે મન વચન અને કાયાના વેગનું વિદ્યુતની પેઠે શુભ માર્ગમાં પરિણમન થાય અને તેને પૂર્વના કરતાં સ્વાત્મા સંબંધી ઉત્તમ અનુભવ અનુભવી શકાય. ઉત્તમજ્ઞાન દ્વારા સદગુરૂ ભકતોની આવી સ્થિતિ થાય છે અને તેથી આત્મજીવનની શુદ્ધતામાં વૃદ્ધિ અને ઉત્કર્ષતા સ્વયમેવ અવબોધાય છે એમાં અન્ય પ્રમાણને અવકાશ ક્યાંથી હોય ? જ્ઞાન પરિકમિત વ્યવહાર શિષ્ટાચારાદિમાં આત્મા સ્વયમેવ પ્રકાશી શકે છે. સ્વયમેવ આવી સ્થિતિમાં કેટલી પિતાની યેગ્યતા છે તેને વિચાર કરીને અગ્રિમ સ્થિતિ પ્રાપ્ત કરવા અવશ્ય પ્રયત્નશીલ થવું. એ સમયેચિત કર્તવ્યતાનો ભાર સ્વશીર્ષેધારવો જોઈએ. ઉપયુક્ત કથનને સાર મનનીય અને આદયતા રૂ૫. અવબોધીને કર્તવ્યપરાયણ થવું. ૩ રૂ શારિત ૩,
For Private And Personal Use Only