SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. (૩૮ રચનાર્થ વિજ્ઞપ્તિ તમેએ કરી તે સ્વીકારવામાં આવે છે અને તેની અવસરે પ્રવૃત્તિ કરીશ. બાલમિત્રમંડલે બાલ્યકાલમાં અત્યુત્તમ ગુરૂ ભક્તિ સેવા પ્રચારક સાહસ કર્યું છે અને તેને પ્રઘોષ વિશ્વમાં પાડવા પ્રયત્ન કર્યો છે. તેથી હું પ્રમુદિત બનું છું. તમારા આવા પ્રશંસનીય કાર્યો તમારા જીવનમાં વારંવાર થાઓ અને તેથી તમે સ્વપર આત્માની ઉન્નતિ કરવા ભાગ્યશાળી બને એમ આશીઃ દઉં છું તે સફલ થાઓ. હાલ જેવો ઉત્સાહ છે તેવો ભવિધ્યમાં રહેશે કે કેમ તે વિચારશે. વિ. તમારા બાલ મિત્રમંડલના સર્વ બંધુઓ આવી બેધ . તમારા શુભ વિચારોની વૃદ્ધિ થાય એમ બને એ ઇચ્છું છું વિદ્યાર્થી જીવનને ઉન્નત કરવા પ્રયત્ન કરશે. તમારી આત્મોન્નતિ થાય એવા પ્રયત્નો જારી રાખશે. તમે એ યંતીમાં અગ્રભાગ લીધે તેથી હું તમને ધન્યવાદ દઉં છું અને ભાવી હશે તે તમારા શુભત્સાહની વૃદ્ધિમાં મારાથી બનતી સાહા આપી તમને ઉચ્ચ કરવા પ્રયત્ન કરીશ. જે જે વક્તાઓએ ભાષણ આપ્યાં તેઓને ધર્મલાભ પૂર્વક ધન્યવાદ આપું છું. ધર્મ સાધન કરશો. ધર્મકાર્ય લખશે. રૂ રતિઃ ૩ મુ. ભાણસા લે............ શ્રી સાનન્દ તત્ર શ્રદ્ધાદિ રણાલંકૃત સુશ્રાવક આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિશેષ તમારો પત્ર આવ્યો વાંચી સમાચાર અવબોધ્યા. આત્મશાનિત માટે અધ્યાત્મશાસ્ત્રને ઘણો અભ્યાસ કરે જોઈએ અને ગુરૂગમ લેવા માટે ગુરૂનાં પાસાવેઠી અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. પ્રભુને સાક્ષાત્કાર કરે અને અધ્યાત્મજ્ઞાનવડે આત્માને અનુભવ સાક્ષાત્કાર કરવો એ એકજ છે. અધ્યાત્મજ્ઞાની ગુરૂનાં પાસાં વેઠવાથી અધ્યાત્મ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. અએવ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ પૂર્વક ગુરૂગમ લેવા ગુરૂ પાસાં સેવવા પ્રયત્ન કરશે. જેની લગની લાગે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનની લગની લાગ્યા પશ્ચાત ઉન્મનીભાવ પ્રાપ્ત થાય છે. તમે ગુણી ભકિતરજોગુણી ભક્તિથી ઉત્તમ એવી સાત્વિક ભક્તિની પ્રાપ્તી કરવી જોઈએ અને પ્રતિકારા ગુરૂનું હૃદય લેવા ગુરૂનાં બનાવેલાં સર્વ પુસ્તકોના સર્વ આશયો ધ્યાનમાં રાખીને વાંચી તેના ભાવા For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy