SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૮ પત્ર સંદેશ. દૂર છે? આત્મા પિતાની કુચાલ છોડી સુચાલ ચાલશે તે ધર્મરાજ પિતાની મુક્તિ નામની પુત્રીને વિવાહ તે આત્મા સાથે કરશે, અને પિતે જ્યારે સુચાલ ચાલતાં જ્ઞાનદર્શન ગુણે કરીને શુદ્ધ દશા કરી જુવાન અવસ્થા પામશે, ત્યારે ધર્મરાજા પિતાની મુક્તિ નામની પુત્રીના લગ્ન નિરધારશે. ત્યારે ભવ્ય આમા શુકલ ધ્યાનરૂપ ઘોડા પર ચઢીને સ્વભાવ રમણતા રૂ૫ માથે છત્ર ધરાવીને જ્ઞાન અને ધ્યાનરૂપ નેબતે ગડગડાવતે ગુણઠાણુરૂપ શેરીઓને ઉલંઘતે શુકલધ્યાનના ચાર પાયારૂપ ચાર ફેરા ફરતે ચોથા પાયા રૂપ ફેરામાં મુક્તિરૂપ સ્ત્રીને પરણી અનંતકાળ પર્યન્ત શાશ્વત સુખને ભોક્તા થશે. બાકી અશુચિમય નરકના બારણારૂપ માયા સ્ત્રીને પરણવા થકી કંઈ સુખ મલી શકવાનું નથી. એ પ્રવાહ અનાદિકાળને ચાલેલો છે, પણ તે માગ ઝાંઝવાના પાણીની પેઠે અસત્ય જાણી સ્વહિતમાં પ્રવૃત્તિ કરવી એ ભવિજીવનું લક્ષણ છે. સંસારમાં અનેક જીવો છે તે બીચારા કર્મને આધિન થયા છતાં સત્યસ્વરૂપ સમજી શકતા નથી. પણ થોડા ભવમાં મુક્તિ પદ પામવા લાયક થાય છે. ભવ્ય જીવોને આત્મિક ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. પુલમાં આત્મ ધર્મ રહેતું નથી. ધર્મ તે આત્માને ગુણ છે, તેને અને પુદ્ગલને કંઈ સંબંધ નથી. આત્મિકધર્મ પામવાને માટે કંઈ પૈસે ખર્ચ કરવું પડતું નથી એ. આત્માને ધર્મ પામવાને માટે જેમ થોડી જંજાલ હેય તેમ વિશેષ વિશેષ આત્મહિત સાધી શકાય છે. આત્મિકધર્મ જે તત્ત્વવેદી જી પામ્યા તેજ મોટા છે અને તેમનું જ આલંબન લેવું. પણ જેથી વિકલ્પ સંકલ્પ થાય અને આત્મા કપ્રહણ કરે તેને ધર્મ કહી શકાય નહિ કહ્યું છે કે आत्मगुणरक्षणा तेह धर्म, स्वगुणविध्वंसणा ते अधर्म. માથારમનુતપ્રવૃત્તિ, તેથી હાછિતિ પિતાના આત્મગુણોનું રક્ષણ કરવું. સ્વગુણુ જેથી પ્રાપ્ત થાય તેવું સશુરૂ આલંબન સેવવું તે ધર્મ જાણો. પિતાના આત્માના ગુણોને જેથી વિનાશ થાય તે અધમ જાણ. નામઅધ્યાત્મ અને સ્થાપનાઅધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મ એ ત્રણને ત્યાગ કરી ભાવઅધ્યાત્મને અનુસરી પ્રવૃત્તિ કરવાથી સંસારનો છેદ થાય છે. ભાવઅધ્યાત્મ પામવાનાં કારણે પ્રાપ્ત કરીએ તે ભાવઅધ્યાત્મ પામી શકીએ. જે જે અંશે નિરૂપાધિપષ્ય પમાય, તે ધર્મ જાણવો. એમ જ્ઞાનીઓ ફરમાવે છે. અહર્નિશ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy