________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૮૭૫
મુંબાઈથી લે–વિ. તમારે પત્ર આવ્યું તે પહે છે. આગમસારોદ્ધારની ૫ બુક મેકલાવશે. હાલમાં અત્ર શાતિ છે. ભાવી બને તે ખરૂં. આત્મવિચાર કરવાથી પરભાવમાંથી ચિત્ત પાછું હઠશે. મનની સ્થિરતા રહે તેવાં ઉત્તમ આલંબને ગ્રહણ કરવાની જરૂર છે. નિમિત્તકારરણની પુષ્ટતા સંપ્રાપ્ત કરવી જોઈએ. પંચમકાલમાં ઉત્તમ નિરપાલિક સ્થાનનું આલમ્બન અત્યન્ત હિતકારક છે. અશુભપ્રસંગોમાં જ્ઞાનીયો જ સમતાને ધારણ કરી શકે છે. પંચમકાળમાં અધ્યાત્મ જ્ઞાન અને સનુષ્ઠાન પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. મેક્ષનો માર્ગ ખરેખર દુનિયાથી જુદા પ્રકારને છે, પણ દુનિયામાં રહીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે, એ પણ વાત સત્ય છે. શુદ્ધાત્મસ્વરૂપના ઉપયોગમાં જેમ બને તેમ શેષ જીવનને વિતાવવું જોઈએ. ધર્મધ્યાનની પરંપરાના હેતુઓને અવલબી આત્મહિતમાં પ્રવૃત્ત થવું એજ શ્રેષ્ઠ કાર્ય આદેય જગતમાં સમજવું.
( તા. ૨૮૭–૧૮૧૧ ).
મુંબાઈથી લેવિ . અત્ર કેટલીક ધાર્મિક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છું તેથી પત્ર લખી શકે નથી. આનન્દઘનપદોને ભાવાર્થ લખાય છે તેથી સમય મળતું નથી. ૬૦ પદોને ભાવાર્થ લખાઈ ગયો છે. હવે તે પર્યુષણમાં ધાર્મિક વ્યવહારપ્રવૃત્તિ ચક્રમાં ગુંથાવું પડશે. અત્ર અન્ય બાબતોની ઉપાધિ નથી. પ્રાયઃ ચિત્તની સ્થિરતા ઠીક રહે છે. ગમે તે સ્થિતિમાં અન્તથી નિર્લેપ રહેવાને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. મનને આત્માના તાબે કરવાને માટે કંઈક આત્મિકજ્ઞાનની અત્યંત આવ
શ્યકતા છે. શાસ્ત્ર પિતાના હૃદય રૂપ બનવાં જોઈએ. જડ અને ચેતનની ભિન્નતા માટે આધ્યાત્મિકશાસ્ત્રના પઠન પાઠનની અત્યન્ત અવશ્યકતા છે. શાસ્ત્રો વાંચીને પિતાને અધિકાર પરખવો જોઈએ. શાસ્ત્રમાં અધિકાર પરતે લખાયું છે. પોતાના આત્માને તારવા માટે પોતે સ્વાશ્રયી બનવું જોઈએ. નિમિત્ત ઘણું હોય પણ ઉપાદાનની જાગૃતિ કરવામાં ન આવે તો આત્માની ઉચ્ચતા થતી નથી. જ્ઞાનમાર્ગ અને ચારિત્રમાર્ગને વિવેક પ્રતિદિન વૃદ્ધિ પામે છે, અને આત્માને આગળ ચઢાવે છે. આત્મા તત્વનું ધ્યાન
For Private And Personal Use Only