________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૮૩
સરળમાર્ગ પસાર કરીને ઈચ્છિત સ્થાને પહોંચે છે, આત્માના અનુભવની વિરૂદ્ધવર્તન કરનારાઓ કેટલીક વખત જગતની ટીકાઓમાં આવી પડે છે. પણ જે સહજ આત્માનુભવમાગે પ્રવર્તે છે તેને કોઈ રીતે ડરવાનું નથી. સત્ય છે તેમાંજ સર્વ સમાયું છે. સત્યમાંથી સત્યને પ્રાદુર્ભાવ થાય છે. આત્મિકવૃત્તિના પ્રત્યેક વિચારે કેવા સંજોગોમાં કયા કાળે ઉભવે છે, તેનું તટસ્થપણે અવલોકન કરીશું. સુધારાવધારા સાથે નિશ્ચયસંયમ માર્ગમાં સ્થિર થવું અને સહજ નિરૂપાધિ સુખ ભોગવવું એજ.
( તા. ૨૦–૨–૧૮૧૦ )
ડુમસથી લે–વિ, નિર્વિકલ્પદશામાં વિશેષ સ્થિતિ રહેવા માટે ઉમંગથી અભ્યાસ કરવો જોઇએ. ઉત્સાહ અને આત્મપયોગની જાગૃતિથી નિર્વિકલ્પ સ્વરૂપ અંશે અંશે અનુભવાશે.
જ્યાંથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે ત્યાં સ્થિપયોગથી જોઈ રહેવું. એમ જેવાથી નિર્વિકલ્પ મન રાખવાની યુક્તિઓ અનુભવથી અનેક હાથમાં આવશે. જે જે સમયે નિર્વિકલ્પદશાને અભ્યાસ કરવાની ટેવ પડી હોય તે સમય કદી ચૂકવો નહિ. એમ કરવાથી પ્રતિદિન વૃદ્ધિ થવાનીજ અને અનુભવ પણ વૃદ્ધિ પામશે. નિર્વિકલ્પસ્થિતિને અભ્યાસ કરવાને માટે સતસમાગમની પણ જરૂર છે. જ્ઞાનની પણ આવશ્યક્તા છે. જગતને સ્વપ્નવત જાણવું જોઈએ. આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરવી જોઈએ.
( તા૬-૪-૧૯૧૦)
x
ડુમસથી લેવ—વિત્ર આત્મભાવના ભાવતા હશે. ઉપાધિમાં પણ અન્તર્થી ન્યારા રહેવા પ્રવૃત્તિ કરતા હશો. સહજ શાંત દશાનું સુખ વેદશે. રાગ અને દ્વેષની વૃત્તિથી આત્માને જ્યારે રાખવો. વૈરાગ્યનું બીજ વૃદ્ધિ પામે તેવા ઉપાય જવા. બળતા અગ્નિસમાન સંસારમાં આત્માના સ્વરૂપનું
110
For Private And Personal Use Only