SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૮૧૫ સં. ૧૮૭૦ ચૈત્ર વદિ ૮ आत्मप्रभुभक्तिप्रेमोद्गारः મુ. પુ. શા. વી. ધર્મલાભ. ( ધીરાના પદને રાગ. ) સમજાવ્યો હતો સાનેરે ચમકાવી રહારૂં રૂપ મને, આંખેથી હવે ખેંચીને લીધે હાલા હારી કને; ઝગમગ જોતિ ઝળકાવી હે દેખા દેદાર, પ્રેમ ત્યારથી હારી સાથે પ્રગટયો અપરંપાર; સંતાય તું અંધારે ઘાયલ થઈ હુને. સમજાવ્યો-૧ ચેન પડે ના હીરાવણ કંઇ, મનમારું અકળાય, અમૃતને આસ્વાદ્યા પછીથી, બાકુલા કોણ ખાય; વિરહનાં દુઃખડાં વેઠીરે, શેવું બીજું કોણ ગણે. સમજાવ્યો-ર લાજ મર્યાદા જનની છેડી, તુજ વિણ ઇષ્ટ ન કઈ કથની કરણી જગતની છોડી, આંખે વાટે રહ્યા જોઇ; બુદ્ધિસાગર વાલમરે, મળે ઝટ પ્રેમે ભણે. સમજા -૩ ભાવાર્થ –હે અસંખ્યપ્રદેશી પરમાત્મસ્વામિન્ !!! તે મને હારૂં મૂલસ્વરૂપ ચમકાવી દેખાડયું હતું અને શાને સમજાવ્યો હતે. હું હારી અનંત તિર્મયચક્ષુઓથી આકર્ષીને મહને તારી પાસે ખેંચી લીધે. જ્યારથી હે પરમાત્મન ! હે ઝળહળ ઝગમગ અરૂપતિ ઝળકાવીને હારે દેદાર દેખાડે હતો ત્યારથી હારા ઉપર અપરંપાર પ્રેમ પ્રગટે છે. હારૂં અરૂપજ્યોતિ સ્વરૂપ દર્શાવીને પાછો માયાના પડદામાં સંતાઈ ગયો ત્યારથી મને ચેન પડતું નથી, અને પૂર્વે દેદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુદ્ધ પ્રેમથી ઘાયલ થઈને જ્યાં ત્યાં શોધ્યા કરું છું. જ્યારથી દર્શન દેઈ તું માયા આવરણમાં સંતાઈ ગયો ત્યારથી મહને હારા વિના જરા માત્ર ચેન પડતું નથી અને મારૂ મન અત્યંત અકળાય છે. અમૃત ને સ્વાધ્યાપછી બકુલા વગેરે કુજન કોણ ખાય ? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યું હારથી મહને For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy