________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2૧૪
પત્ર સપદેશ.
હજી જીવી ગ્રહ તેને અખંડાનંદ છે આ, અરે એ ભવ્ય જે પોતે, લઈ લે ધર્મને કહા. ૬ હજી હાથે અરે બાજી, ધરીલે ધ્યાનમાં સાચું,
બુદ્ધબ્ધિસંત સેવામાં, સદા રહેવું સદા રાચું ૭ - લિ. બુદ્ધિસાગરના ધર્મ લાભ. ધર્મ સાધન કરશે. સંતની સેવા કરવાથી જ સુખ છે. સંતની પાસે સદા કાળ રહેવા ઈચ્છવું.
.................શ્રી. ભા. સુ. શ્રા. ચં. વી. યોગ્ય ધર્મલાભ, આટલી વયમાં આટલા વ્યાપારમાં જ્યારે ધર્મ સાધનને વખત નથી મળતા તે અન્ય દશામાં તે શું કહેવું ? શુભાશુભસાનુકુલ પ્રતિકુલ સીગોમાં સર્વ જીવ મૂકાય છે. તું વિચાર કરીશ તે હને માલુમ પડશે કે જ્ઞાનીઓએ વૈરાગીદશા સ્વીકારી છે તેનું કારણું ખરેખર ઉંટના અઢાર વાંકા જે આ સંસાર છે. સંસારમાં કંઈને કંઈ બાકી રહેવાનું. સર્વેમાં કંઈને કંઇ રહેવાનું. સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કોઈને પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી માટે સંસારમાં વિકલ્પસંકલ્પ કરીને નકામે આત્મવીર્યને ક્ષય કરે એગ્ય નથી. હારા મન પ્રમાણે સર્વસાનુકુલતા થાય તે પછી દુઃખ કયાંથી અને વૈરાગ પણ ક્યાંથી થાય. અને પછી સંસાર દુઃખમય છે એવું વીતરાગ દેવનું વાક્ય પણ ક્યાંથી અનુભવાય. દુઃખ અને ઉપાધિઓ વેઠીને આગળ વધવાનું છે. સર્વત્ર ઉચ્ચ કેટીએ ચઢેલાઓ માટે એ અનુભવ આવશે. મહાપુરૂષનો આશ્રય એજ સુખનું કારણ છે. કોઈ પણ સામાન્ય પ્રસંગથી ભળભળીયા બની જવાથી અને ગભીરતા ત્યજવાથી ધાર્યા કરતાં વિશેષ અલાભ થાય છે અને બોલવું અને કરેલું પાછું સંકેલી લેતાં ઘણી મહેનત પડે છે. પિતાને સાનુકુલ સર્વ મનુષ્યને સમાગમ ન થાય તેથી દીલગીર થવું નહિ. પિતાના મનના ઉભરા કાઢવા હોય તો કઈ જ્ઞાનીની પાસે કાઢવા કે જેથી કંઈ શાન્તિ મળે અને કઈ શિખવાનું મળે. આ જગતમાં ધર્મની સાધના એક સાર ભૂત છે. લખેલું રૂચે અને શ્રદ્ધામાં સત્ય ભાસે તે ધાર્મિક જીવનને સુધારી ઉચ્ચ કરશો. .........ધર્મલાભ કહેશો.
For Private And Personal Use Only