________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૪
પત્ર સદુપદેશ.
-
--
મુ. વિજાપુર શ્રી સાણંદ મધ્યે શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્ય પ્રભાવક વિનયવંત સુશ્રાવક શેઠ ચુનીલાલભાઈ ઉમેદભાઈ તથા શાંતિલાલ તથા કેશવલાલ વગેરે યોગ્ય ધર્મલાભ પહોંચે. તમારે પત્ર આવ્યો તે પહોંચ્યો છે વાંચી સમાચાર જાણ્યા છે તમે એકવાર આવી જશે. ગાડીના ટેમ વિશેષ છે તેથી વાર લાગશે નહિ. મોટા ગુરૂ મહારાજ તથા ન્યાયસાગરના ધર્મલાભ પહોંચે. મનુષ્ય જીંદગાની પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. ગયા વખત પાછો આવનાર નથી માટે ધર્મ સાધનમાં પ્રમાદ કરવો નહિ. સારાં સારાં પુસ્તકો વાંચવાને વિશેષ મહાવરે રાખે. આયુષ્ય ચળ છે, દુર્લભ અમૂલ્ય વખતની કીંમત જ્ઞાનીઓ આંકી શકતા નથી માટે તેની સાર્થકતા કરવી. ફુલ્યવં તા. ૨૪ જુલાઈ ૧૮૦૫.
મુ. વિજાપુર. સાણંદ મધ્યે દેવગુરૂ ભકિતકારક પુજ્યપ્રભાવક સુશ્રાવક ચુનીલાલભાઈ ઉમેદભાઇ મેગ્ય ધર્મલાભ પહોંચે, અત્રે દેવગુરૂ ધર્મ પ્રભાવે કુશલ વર્તે છે. તમારી તરફ તે પ્રમાણે વર્તમાન હશે. ધર્મ સાધન કરજો. હાલ વિજાપુર ક્ષેત્ર સ્પર્શના થઈ છે. બનશે તે વિજાપુરથી કેશરીયાજી ઋષભદેવજીના સંધમાં જવા વિચાર છે. અંતઃકરણથી ધર્મકામમાં ઉધમવંત રહેજે. મનુ જન્મ આવેલ ફરી ફરી મળવો દુર્લભ છે. ધર્મ મનુજન્મનું સારતત્વ છે. ચિંતામણિ પુસ્તક છપાવવા તાકીદ કરશે. સમાજને ભલામણ કરશો. ગુરૂ મહારાજે સર્વને ધમલાભ ૩ રતિઃ ૩ વી. સં. ૨૪૩૨ મૃગશીર્ષ કૃષ્ણપક્ષ ૧૩.
For Private And Personal Use Only