SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. અને બીન ઉપયોગી ધાંધળ ચાલતી હોય છે અને તેનું પ્રાબલ્ય વધીને અને આડે માર્ગે દોરવાનું રૂપ લે છે ત્યારે અપેક્ષાશૈલીને જાણનારા સુત્તમનુષ્યો સત્યને હૃદયમાં રાખીને સત્યનો જય ઈચ્છે છે, અને આજુબાજુના સાનુકૂળ સયોગો કે જેવડે સમાધાન થાય તેવું નથી જેતા તે તત્સમયે તટસ્થ જેવી દશા ધારણ કરે છે અને સમયને અપેક્ષાએ જણાવે છે, તેવા સમયમાં તેઓને ઘણું સહેવું પડે છે અને તેવી દશામાં આત્મબળ કેટલું છે તેની ખરેખરી કસોટી થાય છે. મતભેદને નિવૃત્ત કરવાની શકિત ખરેખર સ્યાદાદભાવમાં રહી છે. જ્યાં સુધી દુનિયાને સ્યાદાદભાવનું ઉચ જ્ઞાન નહિ થાય ત્યાં સુધી મતભેદરૂ૫ મગરના મુખમાંથી નીકળી શકવાની નથી. આખી દુનિયામાં તે શકિત પ્રગટ થાય એમ આપણી ભાવના છે. આપણે તે સ્યાદાદદષ્ટિએ સર્વ મતભેદોને સમાવવા પ્રયત્ન કરવો જોઈએ. વાયુના યોગે દીપકની શિખા કરે છે પરન્તુ જે વાયુ નથી હૈતો તે દીપકની શિખા સ્થિર રહે છે તઠત જ્યાં સુધી આત્મામાં એકાન્તદષ્ટિ હોય છે ત્યાં સુધી મતભેદથી આત્મા મનની ચંચળતા પ્રગટ કરે છે અને પોતે પારકાના દુઃખે ચંચળ બને છે. અન્ય મનુબોની મતભેદ દષ્ટિ હોય તેથી તેના ઉપર દ્વેષ કરીને જ્ઞાનીઓએ શા માટે ચંચળ બનવું જોઈએ? અને શા માટે એકાન્તદષ્ટિએ ઉપર દ્વેષ કરવો જોઈએ? દદીઓને રેગ દેખીને દદીઓ ઉપર દાકતરેએ શા માટે ખેદ વા દેષ કરવો જોઈએ. દાક્તરોએ તે દર્દીઓને રગ ટાળવા પ્રયત્ન કરે જોઈએ, અને તેઓના ઉપર દયાભાવ લાવવો જોઈએ. એક દર્દીના સંસર્ગથી અને રેગ ચેપ લાગે એવું જે ધારવામાં આવે તો તે ઠીક છે પણ દાક્તરેએ અન્ય મનુષ્યોને જણાવવું જોઈએ કે અમુક રોગીને સંસર્ગ ન કરે પણ અમુક રોગીપર દ્વેષ ન કરે, પણ રોગીના ચેપના લીધે પ્રયજન વિનાની અને ઘણુઓને હરકત કરનારી એવી નકામી ધાંધળ કરવાની પ્રવૃત્તિ કઈ રીતે પ્રશંસવા યોગ્ય ગણી શકાય નહિ. વિવેક, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શુદ્ધપ્રેમ, ઉત્તમ બંધારણવડે અન્ય મનુષ્યોને ધર્મમાગ તરફ વાળી શકાય છે. સત્ય કદી છાનું રહેવાનું નથી અને અસત્ય કદી ખોટું પડયા વિના રહેવાનું નથી. મતભેદને નાશ કરવાની ઇચ્છાવાળાઓએ કોઈને પિતાના મનમાં જે જે વિધી વિચારે થતા હોય તે એકદમ કહેવા નહિ અને બનતા પ્રયત્ન એવા ઉપાયે લેવા જોઈએ કે મતભેદની ઉપશાન્તિ થાય, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy