SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ પત્ર સદુપદેશ. દુનિયામાં મતભેદ હોય છે. પરસ્પર એકબીજાના વિચારોમાં પણ મતભેદ પડે છે પણ મતભેદને અપેક્ષાએ અન્ત લાવી શકાય છે. મતભેદના વિચારોનું સાપેક્ષનયવાદથી સમાધાન લાવી શકાય છે. વિવેકબુદ્ધિથી મતભેદ ટાળવા જોઈએ. પણ મતભેદથી સ્થૂલ જગતમાં કલેશનાં આન્દોલને ન પ્રગટે એવો હૃદયમાં ખ્યાલ લાવવામાં આવે તે મતદાગ્રહને અન્ત આવી જાય. જેઓને નયેની અપેક્ષાએ આગમોના આધારે વિવેકબુદ્ધિ પ્રગટી હોય છે તેઓ મતભેદથી પૂલ જગતમાં યુદ્ધદેવને આમંત્રણ કરતા નથી. મતભેદથી પરસ્પર મળેલા અન્તઃકરણ જુદાં થાય છે અને જે આંખમાં પ્રેમ હોય છે તે આંખમાં હેપ પ્રકટે છે, અને એક જનાજ્ઞાની સાંકળે બંધાયલા સંધમાં મહાન ભેદ પ્રકટે છે. મતભેદથી ગુરૂ અને ભકતનાં હૃદય જુદાં પડે છે. મતભેદ પડાવનારા મનુષ્યો શાન્તિના સામ્રાજ્યમાં રાક્ષસનું આચરણ આચરે છે. મતભેદ ગમે તેટલા પડે છે કઈ પડાવ પણ જેઓની સ્યાદાદદષ્ટિ થઈ હોય છે તેઓ તે નયેની અપેક્ષાએ સર્વમાંથી સત્ય જુએ છે. હાલાહલને પણ જે અમૃતરૂપે પરિણમાવી શકે છે તે સામાન્ય બાબતને શુભરૂપે પરિણુમાવે તેમાં શું આશ્ચર્ય ? તઠત જેઓ મિથ્યાશ્રુતને પણ સભ્યશ્રત રૂપે પરિણમાવી શકે છે. તેઓને મતભેદ-પક્ષપાતની કંઈ અસર થઈ શકતી નથી. મનુષ્ય સ્યાદવાદદષ્ટિથી સઘળું વિલોકે તે મતભેદને સહેજે દૂર કરી શકે, વા મતભેદથી યુદ્ધ આરંભે નહિ. જેઓના મનમાં રાગદ્વેષને નાશ કરવાની ઈચ્છા વર્તે છે તેઓ મતભેદના પક્ષપાતમાં પડીને પિતાના આત્માનું તથા અન્યનું અકલ્યાણ કરવા પ્રયત્ન કરતા નથી. આ જગતમાંથી સર્વથા સર્વદા સર્વમાં મતભેદ ન પડે એમ તે કદી બની શકે નહિ. મતભેદથી મગજ તપાવીને કરૂણ અને મૈત્રીભાવનાને દેશવટે આપીને અન્ય મનુષ્યનું અશુભ તે કદી ઈચ્છવું જોઈએ નહિ. જેનાગો ઉદારભાવ શિખવે છે અને ઉદારભાવ રાખવાનું કહે છે તથા મતસહિષ્ણુતાને ક્ષમાના પાઠ તરીકે જણાવીને તેને આચારમાં મૂકવાનું કથે છે પણ તેથી એમ ન સમજવું કે સોપદેશ દેવાનું કાર્ય બંધ કરી દેવું. આગમોમાં કથેલી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જૈનશાસનના સેવક બનીને આખી દુનિયા આગળ સત્યધર્મ ધરવામાં જે દુઃખો આવી પડે તે સહેવાં અને જગતને ઉદારભાવ તથા મસહિષ્ણુતાને પાઠ શીખવવો અને આગળ વધવું. અજ્ઞાન મનુષ્યની અનુપયેગી ધાંધળથી સુજ્ઞમનુષ્યોએ સત્યમાર્ગને પરિહાર કરી અસત્ય માર્ગમાં પગલું ન દેવું જોઈએ. પક્ષાપક્ષીમાં અસત્ય For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy