SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૨ પત્ર સદુપદેશ. સવ સુખનું સ્થાન તમે પોતે જ છે. બાહ્યમાં કયાંથી સુખ હોય ? આભામાં સુખ શોધો. ૐ શાન્તિઃ રૂ મુ. સુરત, ગોપીપુરા, ................ યોગ્ય ધર્મલાભ. સુશ્રાવક આત્માથી..... વિશેષ તમારે પત્ર આવ્યો હતો. પર્વમાં ધર્મનાં પુસ્તકો વાંચીને તેને મનમાં વિચારજ કર્યા કરશે ડુિં વાંચવું અને હેને વિચાર આંખ મીચીને ખબ કરજે જે વાક્યો વંચાય તેના ઉપર પુષ્કળ વિચાર ચલાવ. જે જે વિચાર કરતા શંકાઓ ઉત્પન્ન થાય તેની એક નોટબુકમાં નેધ કરી લેવી. પશ્ચાત રૂબરૂમાં મળતાં ખૂલાસો કરી લેવો. આમતત્વ વાંચન, એકાન્તમાં સ્થિર ચિત્તથી કરવાથી પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે, અને અભૂત અનુભવ આવશે. વાંચતી વખતે જે વિધ્ય ચાલતો હોય તેમાં મનને એકાગ્ર કરવું. જે વિષય ચાલતું હોય તેમાં તદાકારમન કરી દેવું. મનમાં તદાકારય ભાસવાથી જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે. ઘોંઘાટ કે ઘણુ મનુષ્યો કલબલ હાહે કરી રહ્યા હોય ત્યાંથી દૂર થઈ એકાન્તમાં વાંચવું. વાંચતી વખતે અન્યના શબ્દ સંભળાય તેમાં લક્ષ્ય આપવું નહિ. જે પુસ્તક વાંચીએ તેના ઉપર તથા તેના કર્તા ઉપર ભક્તિ ધારણ કરવાથી વિશેષ જ્ઞાન થતું જાય છે. હુશિયારી રાખવી. લેકોના બેલવા ઉપર વિચાર કર્યા વિના વિશ્વાસ લાવવો નહિ. સાવચેતીથી ચાલવું. સદ્દગુરૂ નિંદની સંગતિ કરવી યોગ્ય નથી. આત્માનાં સત્યવિચાર ઉપર દઢ રહેવું. ૐ શાન્તિઃ રૂ. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy