SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. 9૪૧ યેના સર્વ ભેગે પણ નિર્જરાના હેતુભૂત થાય છે. જ્ઞાનિને આસ્રવના હેતુઓ સંવરપણે પરિણમે છે, અને અજ્ઞાનિયને નિર્જરાના હેતુઓ સંવર રૂપે પરિણમે છે. અજ્ઞાની જ્યાં જ્યાં બંધાય છે, તે તે વસ્તુઓથી જ્ઞાની છૂટે છે. જડ પુદગલ વસ્તુથી આત્મા છૂટી શકે છે. જડ વસ્તુ કરતાં આત્માની શક્તિ અનન્તી છે. જડ વસ્તુને પણ આત્મા જ ગ્રહી શકે છે, અને છેડી શકે છે. આત્માના સામર્થ્ય વિના જડવસ્તુમાં એવી શક્તિ નથી કે તે પિતાની મેળે કર્મરૂપે બની આત્માને લાગી શકે? કર્મના અનેક ભેદ છે પણ તેના મુખ્ય આઠ ભેદ છે. આઠ ભેદને પણ આત્મા જ દૂર કરી શકે છે. માટે આત્માની શક્તિઓ ખીલવવા આત્મજ્ઞાનપૂર્વક ધ્યાન કરવાની આવશ્યક્તા છે. આત્મા જેમ જેમ સૂર્મધ્યાનમાં પ્રવર્તે છે. તેમ તેમ તેને ઉપયોગ તીર્ણ થતું જાય છે, અને તે ઉપયોગમાં એવી શક્તિ છે કે તે આત્માના અસખ્યાતપ્રદેશે લાગેલાં કર્મોને ક્ષણમાં ખેરવી નાખે છે. આત્માની અનન્ત શક્તિ છે એ વાત ખરેખર અનુભવજ્ઞાનથી સિદ્ધ થાય છે. દુનિયામાં છેલ્લામાં છેલ્લી શોધ આત્મજ્ઞાન અને ધ્યાનની છે તેની સિદ્ધિ થતાં મુક્તિ કરતલમાં છે. આત્માની સહજ દશામાં અનંત સુખ છે તેની પ્રાપ્તિ માટે દેવગુરૂના અવલંબનની જરૂર છે. સાંસારિક પદાર્થો ઉપર જેટલે રાગ થાય છે તેના કરતાં વિશેષરાગ શ્રી સદગુરૂ ઉપર થવો જોઈએ. શ્રી સશુરૂયર પરિપૂર્ણ પ્રેમ થતાં જલમાં સ્થલમાં જ્યાં ત્યાં ગુરૂગુરૂની ધ્વનિ ઉઠે છે, અને તેવી સ્થિતિમાં સદ્ગરને ઉપદેશ જે જે સાંભળ્યો હોય છે, તે તે યાદી આવે છે, અને તેથી આભામાં ધર્મના દઢ સંસ્કાર જામે છે. સદ્ગુરૂના ઉપદેશ વચમાં, અપૂર્વ તવ સમાયેલું હોય છે, તેની ખબર ભક્તશિષ્યને પડે છે. તેવી સ્થિતિમાં સલ્લુરૂ પ્રેમધુન શુદ્ધ હવાને લીધે સંસારદશા વિસરાય છે, અને કંઇક આત્માનું સ્વરૂપ નવું જાગ્રત થાય છે. આત્માના સુખને અનુભવ આવે છે, અને મનમાં એક વસ્તુમાં અમુક કાલ સુધી સ્થિરતા થાય છે. સરૂનો ઉપદેશ સાંભળ્યા પણ આચારમાં મુક્યા વિના આત્મસન્મુખ પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આત્મદષ્ટિ થવા માટે નિયમિત કાલમાં આમાના સારા વિચાર કરવા. વાંઝીઆ દિવસ તે કદી રાખ નહિ, જ્ઞાનદર્શન ચારિત્રમય આત્મા છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવતામય આત્મા છે. જેણે એક આત્મા જાણે તેણે સર્વ જાણ્યું. જગતમાં સર્વ દા આત્મા જ ઉપાદેય છે. સ્વપર પ્રકાશક આત્મા છે. રાગદ્વેષને ક્ષય થાય તેમ પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. વસ્થાનકથી આત્માનું સ્વરૂપ વિચારવું જોઈએ, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy