SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૭૦ ની સાલના વિચારે ૧૭૦૭ ૮૩. અન્યદર્શનીય દયાદિ જેનાગમ પ્રતિપાઘ સદાચાર પાળતા હોય વા જૈનાગમને અનુસરનારા પુનર્જન્મ, કર્મ, પુણ્ય, પાપ, વગેરે સિદ્ધાન્ત માનતા હોય અને તે સિદ્ધાન્તનું જડવાદીઓ ખંડન કરતા હોય તે તે બાબતમાં તેઓને યથાયોગ્ય દલીલની સાહાય આપવી. ૮૪. પુનર્જન્મવાદ, ચૈતન્યવાદ, કર્મવાદ, વગેરેમાં નાસ્તિકો, જડવાદીઓની સાથે ચર્ચા કરતાં પુનર્જન્મ વગેરેને સિદ્ધ કરનારા અન્ય દર્શનીઓની તે તે વાદમાં સામેલ રાખવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી અપવાદ અને ઉત્સર્ગ માર્ગના બલબલ અને લાભાલાભને વિચાર કરી આ બાબતમાં પ્રવર્તવું. ૮૫. જેનાગમની પુષ્ટિ કરનારા, જેના મને અનુસરના, જેનાગમતથી અવિરૂદ્ધ જે જે માન્યતાઓ, અન્યદર્શનીય ગ્રંથોમાં હોય તેઓની સાક્ષીઓ આપીને અન્યદર્શનીય જનેને જૈનધર્માનુકુલ કરવા. તેવો ઉપદેશ તથા તેવા સાક્ષીઓવાળા એ લખાવવાની સૂચનાઓ કરવી. . ૮. અન્યદર્શનીય અમુક સંપ્રદાયને પિતાનાથી અમુક બાબતમાં, અનુકુલ રહી પીને ચાલવાની યોજનાઓ ઘડી તે પ્રમાણે વર્તાવવા પ્રવૃત્તિ કરાવવી. ૮૭. અન્યધર્મીય રાજા, વા અન્યદર્શનીય ધર્મગુરૂઓ વગેરેની સાથે દેશને તથા દેશની પ્રજાને હાનિ ન થાય તથા લોક વિરૂદ્ધ ન ગણાય એવી રીતે પરસ્પર અમુક મળી આવતા અને આગમથી અવિરૂદ્ધ એવા નિયમો ઘડીને વર્તવું. ૮૮. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મો કરતાં જૈનધર્મ વસ્તુતઃ વ્યાવહારિક અને આધ્યાત્મિકાન્યુદયમાં કેવી રીતે આગળ વધી શકે છે, અને તેનું વર્તન માન કાલે કેવું સ્વરૂપ છે, તથા તેમાં પરસ્પર ધર્મોના મુકાબલે જૈનતત્ત્વથી અવિરૂદ્ધપણે કેટલે સુધારે વધારે કરવાની જરૂર છે, તેના નિયમો અને જનાઓ ઘડીને જૈનેને તેનું જ્ઞાન આપવું. ૮૮. સ્વગચ્છીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતાના ગ૭ની ઉન્નતિ માટે પ્રસંગ આવે સર્વસ્વ અર્પણ કરીને પ્રવર્ત એવું અધુદયદ્રષ્ટિએ શિક્ષણ આપવા બદોબસ્ત કરે. ૪૦. સ્વગછના કાયદાઓને સમેલન વખતે વાંચી સંભળાવવા અને તે પ્રમાણે સ્વગચ્છીય સાધુઓ વગેરે પ્રવર્તે એવો ઉપદેશ દે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy