SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. 19૦૫ ૭૦. સ્વછીય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પોતાની આનો પ્રમાણે વર્તે એવાં બંધારણો રચવાં, અને તે પ્રમાણે સર્વે વર્તે "એવી રીતે સાધુઓ વગેરે દ્વારા ઉપદેશ દેવરાવો ૧. ગામે ગામ વિહાર કરનારા સાધુઓનાં મંડળે જવાં, અને તેઓને વિહાર, ઉપદેશ, ચાતુર્માસાદિની યોજનાઓનું શિક્ષણ આપવું. વિહાર કરનારા સાધુઓ વગેરેને પ્રસંગોપાત્ત આવશ્યક સૂચનાઓ કરવી અને તેઓની વિજ્ઞપ્તિ ઉપર લક્ષ દઈને ઘટતી વ્યવસ્થા કરવી. - ૭ર. સાધ્વીઓ દ્વારા સ્ત્રી વગેરેને ધાર્મિક બોધ આપવાની અમુક રીતિએ વ્યવસ્થા કરવી, અને જૈન શ્રાવિકા વગેરેને આચારમાં કુશલ કરે એવું જમાનાને અનુસરી શિક્ષણ આપવું. સાધ્વીઓ, શ્રાવિકા વગેરેને સુધારે એવી રીતની શિક્ષણ પ્રણાલિકા આચારમાં મૂકાવવી. અન્યદર્શનીય સ્ત્રી વર્ગને જૈનધર્મનું શિક્ષણ કેવી રીતે આપવું તથા તેઓની ગ્યતાનુસારે ઉપદેશ દેવાની તેઓને યુક્તિઓ શીખવવી. | ૭૩. વિશાલદ્રષ્ટિથી જૈનદર્શનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્તન થાય એમ ઉપદેશ દેવા માટે સાધુઓ વગેરેને સૂચનાઓ આપવી, તેમજ જે જે સ્થાને જે જે સાધુઓ ચોમાસુ કરવાને ગ્યા હોય તેઓને તે તે સ્થાને ચોમાસું રહેવાને આજ્ઞા આપવી, અને સાત ક્ષેત્ર સંબંધી જે કાલે જે સ્થાને જે ક્ષેત્રની પુષ્ટિ કરવાની હોય તે તે સંબંધી સૂચનાઓ આપવી. - ૭૪. સાધુઓને તથા સાધ્વીઓને દીક્ષા આપવાની તથા ભણાવવાની રીતિમાં સુધારા કરાવવા. સાધુઓ તથા સાધ્વીઓ વધે એવી રીતની સુધારાની રીતિયો પ્રવર્તાવવી. ૭૫. આચાર્યો પિતાની પાસે સ્વપરસમયવ્યવહાર કુશલ ગીતાર્થ સાધુઓ બેસાડવા, અને જે જે મનુષ્ય જે જે પૂછે તેને ઉત્તર તેઓની પાસે અપાવે. તેઓને એવું શિક્ષણ આપવું કે જેથી તેઓ પિતાની પાસે જે જે વાદીઓ ચર્ચા કરવા માટે આવે તેના અભિપ્રાય જાણીને તેઓને યથા 5 ઉત્તર આપે. પ્રસંગોપાત પિતાને કંથવાને અવસર આવે ત્યારે કેમ પરિમિત ગભીર મિષ્ટ શબ્દોથી જવાબ આપવો. ૭૬. સ્વકીય ગરછના સાધુઓ અને સાધ્વીઓ અન્યગર છીય મનુષ્યની સાથે નકામા વાદ, વિવાદ, કલેશકારક ઝઘડા વગેરે કરે નહીં એવી શિક્ષો 89 For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy