SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७०४ સંવત ૧૯૭૦ ની સાલના વિચારે મતભેદને વાસ્તવિક્તત્વદૃષ્ટિએ શમાવવાની ઉપદેશ શૈલીને પ્રચાર કર. સ્વગચ્છીય ચતુર્વર્ગનું ઐક્યબળ ન તુટે એવા નિયમો ઘડવા અને તે પ્રમાણે પ્રવર્તવું. તથા અન્યોને પ્રવર્તાવવા વગરછીય સાધુઓ અને સાધ્વીએની બહુમત, વર્તમાન સમય, લાભ, હાનિ, વગેરેને વિચાર કરીને સ્વગચ્છનાં કાર્યો કરવા અને કરાવવાં. - ૬૪. જે જે ગચ્છો જે જે સંઘાડાઓની સાથે જે જે શરતેથી સુલેહ, સંપ અને સાહાના કરાર, લેખો પરસ્પર કર્યા હોય તેઓની સાથે તે તે શરતમાં તે તે પ્રમાણે વર્તવું, અને અન્યોને કરાર લેખ પ્રમાણે સાહાધ્ય આપવા ચૂકવું નહિ. સ્વપરગચ્છ સંધાડાઓના સુલેહસંપના જે જે કરાર કર્યા છે તે કરારથી સ્વગચ્છીય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએને વાકેફ કરવાં. ૬૫. સ્વધર્મિબંધુઓની અને અન્યદર્શનીઓની સાથે મૈત્રી, પ્રદ, માધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવનાઓ પૂર્વક વર્તવું. અન્યદર્શનીઓની નિન્દા કરવી નહિ. તેઓ તરફ ધિક્કારની દૃષ્ટિથી વર્તવું નહિ. તેઓ જૈનધર્મના રાગી બને એવી જનાએ યથાયોગ્ય સાહાય આપવી. તેઓ કદિ ધર્મને ઉપદેશ દેતાં અપમાન વગેરે કરે તો તે સહીને તેઓનું ભલું થાય એવી રીતે તેઓની સાથે વર્તવા લક્ષ દેવું. ૬૬. સ્વગચ્છની સાથે જે જે ગોને ન્યૂન ચૂન મતભેદ રહેતા હોય તો તે ગચ્છની સાથે અમુક રીતિની અપેક્ષાએ જોડાઈને નબળની પુષ્ટિ કરવી. એક ગચ્છમાં સંધાડાની રીતિએ ઘણું આચાર્યો હોય તે તેઓની સાથે મળતા રહીને સર્વસાધારણ, ધાર્મિક કાર્યો કરવાં, અને પરસ્પર મેળ રહે એવા નિયમેથી પરસ્પર બદ્ધ થવું. ૧૭. સ્વગચ્છ સંબંધમાં અન્ય ગચ્છા અનેક પ્રકારની ચર્ચા કરે તે તેને ઉત્તર આપવા તથા તે સામે એગ્ય પ્રવૃતિ કરવા વ્યવસ્થા કરવી ને કલેશ શમાવવા. ૬૮. સ્વપન્નતિ સાધક, જૈનધર્મોન્નતિકારક, સ્વગતિકારક, ચ, વિધ મહાસન્નતિકારક કાર્યો જે જે આરમાં હોય તેઓથી પરિષહ થતાં પાછા હઠવું નહિ. ૬૯. ધર્મવિરોધને હરેક રીતે ચગ્ય જવાબ આપે, અને તેમના તંત્રને પહોંચી વળે એવું સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું મંડલ બનાવવું કે જેથી સ્વછીય મનુષ્યને શાતાપૂર્વક ધર્મની આરાધના થાય, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy