SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X સવત્ ૧૯૭૦ ની સાલના વિચારો. આધ્યાત્મિક વિચારણાએ સ્થૂલરૂપે સ્થૂલમાં પ્રગટે છે, અને તે સ્થૂલાચાર ધર્મનુ સમષ્ટિરૂપ ધારણ કરીને જગતમાં ભિન્ન ભિન્ન ધર્મો તરીકે અસ્તિત્વને ધારણ કરીને વિશ્વના ઇતિહાસને પાને પાતાનું સ્વરૂપ આલેખાવે છે, ઉપર પ્રમાણે આધ્યાત્મિક સાપેક્ષવિચારશૈલીએ મુસલમાન અને ખ્રીસ્તિ ધર્મની આધ્યાત્મિક સદ્વિચારણાઆને અને સદાચારોને જૈનદર્શનમાં સમાવેશ થવાથી જૈનÆન ખરેખર સધ દર્શનાધિપત્યપદને પ્રાપ્ત કરવાને અધિકારી ખની શકે છે. આદર્શોન આત્માને પર્યાયરૂપ એકાન્ત માનીને તેને અનિત્ય સ્વીકારે છે. જૈનદર્શન, દ્રષ્યાર્થિંકનયે આત્માને નિત્ય સ્વીકારે છે અને પર્યાયાર્થિકનયે આત્માને અનિત્ય સ્વીકારે છે, તેથી તેના ક્ષણિકવાદના પર્યાયાર્થિકદષ્ટિએ જૈનદર્શનમાં સમાવેશ થાય છે, અને તેના વિજ્ઞાનવાદના જ્ઞાન નયદષ્ટિએ જૈનદર્શનરૂપ આત્મામાં અન્તર્ભાવ થાય છે. અદ્વૈતવાદરૂપ વેદાતદર્શનના એક આત્મવ્યમાં આત્માસ્તિત્વની અપેક્ષાએ ફક્ત સમાવેશ થાય છે. બ્રહ્મરૂપ આત્મા હોવાથી અને તે સત્તાએ સિદ્ધ પરમાત્મા હોવાથી સંગ્રહનયની દૃષ્ટિએ અન્યનયેાના સાપેક્ષપણે તેને આત્મામાં અન્તર્ભાવ થાય છે. રામાનુજ અને વલ્લભાચાર્યના મન્તવ્યોને જીવ અને અજીવ એ એ તત્ત્વામાં સમાવેશ થવાથી જૈનદર્શનમાં તે એનેા અન્તર્ભાવસાપેક્ષપણે કરી શકાય છે. આર્ય સમાજીએ માનેલા વેા, ઇશ્વર, જગત વગેરેના જીવ અને અજીવ એ એ તત્ત્વામાં સમાવેશ કરી શકાય છે, તેથી આ સામાજીક તત્ત્વ માન્યતાઓને પણ સાપેક્ષપણે જૈનદર્શન પેાતાના સાપેક્ષનયરૂપ ઉદરમાં સમાવેશ કરી દે છે. ચાર્વાક અર્થાત્ જડવાદીઓની માન્યતા એ જૈનદર્શનના ઉદરસમાન છે. આ પ્રમાણે વિશ્વપ્રવર્તિત સધર્માને સાપેક્ષવૃષ્ટિએ પોતાનામાં સમાવનાર જૈનદન હાવાથી જૈનદર્શનનું અપરિમિત સર્વવ્યાપક જ્ઞાનવલ છે, એમ સાપેક્ષનયદૃષ્ટિએ વિચારતાં અવક્ષેાધાય છે. જૈનધર્મ, જૈનદર્શન, સ્યાદ્વાદદર્શન, અનેકાન્તદર્શન, વીતરાગદર્શન, જૈનશાસન ઇત્યાદિ નામથી સખેાધિત આત્મધર્મીમાં અસ્તિનાસ્તિત્વપણે સર્વને સમાવેશ થવાથી સર્વધર્માંમાં રાજકીયધર્મ તરીકે વિશ્વવ્યાપકધર્મની પીને ધારણ કરનાર જૈનધમ છે, એમ વિશ્વવ્યાપકધમ વિચારેાથી અને સદાચારાથી સાઢાદષ્ટિએ અસ`ખ્ય યોગાની અપેક્ષાએ અવમેધાય છે. આવા વિશ્વવ્યાપક અપરિમિત છદ્મવતું લવાળા જૈનદર્શનની ઉપયાગતા સર્વ વિશ્વ મનુષ્યએ આદરવા ચેઞ છે, એવી વિશ્વવ્યાપક ગર્જના કરીને વદનારા મહાત્માના અવતારની જરૂર છે, X * Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૮૩ X
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy