SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૨ સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. ઇડાડીને ગંગા કહેવામાં આવે છે, પિંગલાને યમુનાનું રૂપક આપવામાં આવે છે, અને સુષુણ્ણાને સરસ્વતીનું રૂપક આપવામાં આવે છે. એ ત્રણને જનદષ્ટિએ શરીરસૃષ્ટિમાં સમાવેશ થાય છે. ત્રિપુટીને કાશી કહેવામાં આવે છે. બ્રહ્મરદ્ધને સિદ્ધશિલા, અશ્રુતધામ વગેરે કહેવામાં આવે છે, તેને પણ પિંડમાં સમાવેશ થાય છે, અને એવા રૂપકને જનદષ્ટિએ જેનદર્શનમાં સમાવવામાં આવે છે. તેથી જિનદર્શનની અર્થાત આમ યાને બ્રહ્મદર્શનની અપરિમિત વર્તુલતાને અનુભવ સહેજે થઇ શકે તેમ છે. પંચભૂતને દરગે સમજવો અને તેમાં દિલ તકીયે સમજવો, અને તેમાં આત્મારૂપ ખુદા નિરંજન નિરાકાર છે, એવી કલમો ભણવાની છે. મનરૂપ મકામાં અન્તરાત્મારૂપ મહમદને અવતાર અર્થાત પ્રકટભાવ થતાં તે નિરંજન-નિરાકાર એવા ખુદાને શોધવા ધ્યાન ધરે છે, અને તે પરાભાષારૂપ વહીઓને આત્મારૂપ ખુદાકારા મોકલાએલી માનીને તે જગતની આગળ રજુ કરે છે. અને કહે છે કે-નિરાકાર નિરંજન આત્મરૂપ ખુદાને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓને ફરી અવતાર થતું નથી. આમ સાપેક્ષદષ્ટિએ જૈનદર્શન ગજના કરીને કથે છે. એકાન્તવાદિયા આશયની અનવધતાએ એકાન્તપણે તેને સ્વીકાર કરે છે. અલખધ્યાનને નિશો કરીને આત્મા, ચૌદસ્તબક અર્થાત ચૌદ રાજલોકની ઉપર રહેલા સિદ્ધસ્થાનમાં ખુદારૂપ બનીને રહે છે. આવી રીતે કર્મરૂપ શેતાનના પાશ માંથી મુક્ત થવાનું શિખવનાર મુસલમાન માન્યતા છે, તેને આધ્યાત્મિકરૂપકલીએ જૈનદર્શનમાં સમાવેશ થવાથી જનદર્શનરૂપ અનંત વસુલતા અપરિમિત સમસ્ત વિશ્વવ્યાપક હેવાથી જૈનદર્શન, જૈનધર્મ, વિશ્વવ્યાપક ધર્મ છે. એવી સાપેક્ષદષ્ટિએ સત્ય વિચારે અને સદાચારથી અવબોધાઈ શકે છે. અન્તરાત્મારૂપ ઈશું તે સ્વામી સેવકભાવે સિદ્ધ પરમાત્માને પુત્ર છે. અન્તરાત્મારૂપ ઈશુની માતા ખરેખર વિવેકબુદ્ધિરૂપ કુંવારી કન્યા છે, અને તે પરભાષામાં ભાસતા સત્ય વિચારેને પરમાત્માના સંદેશાઓ કહીને તેને જગતમાં પ્રચાર કરવા ઉપદેશ આપે છે. ક્ષપક શ્રેણિરૂપ શૂળી પર ચઢીને અને ન્તરાત્મારૂપ ઈશુ તેરમા ગુણસ્થાનકમાં પોતાના સ્વરૂપભૂત સર્વજ્ઞ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આવી આધ્યાત્મિક વિચારણારૂપ શૈલીએ ઇશુનાં આધ્યાત્મિક સાપેક્ષદષ્ટિમાન્ય સત્યમન્તવ્યને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેનું જ્ઞાની ગુરૂદ્વારા વિશેષ પ્રકારે સમાધાન કરીને અન્તમાં નિશ્ચય કરે, અને અનેક નયોની અપેક્ષાએ તેઓના સત્ય મતબેને જૈનદર્શનમાં અન્તર્ભાવ થાય છે તે સમ્ય રીતે અવબેધ. X For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy