SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. जैनदृष्टिए आत्मानुं अनन्त वर्तुल. સાપેક્ષ નયદષ્ટિથી રાગાદિને ઉપશમાદિભાવ કરીને જેઓ આત્મજ્ઞાનમાં ઉંડા અવતરીને સર્વધર્મના વાદોને સ્યાદ્વાદપણે આત્મામાં પરિણમાવે છે, તેઓ જ્ઞાનાદિ વર્તુલના પૃથુત્વ વિકાસથી સાર્વભૈમ ધર્મરાજ્ય પ્રવર્તક મુખ્ય નેતાઓ થવાના અધિકારી બને છે. જેઓ સમ્યગ જ્ઞાનાદિએ વિશાલ વિચારાચાર વર્તુલવાળા હોઈ અન્ય ધર્મોને અપેક્ષાએ સ્વમાં સમાવવા સમર્થ બને છે, અથવા અન્ય ધમય મનુષ્ય પર ઉપશમાદિ દષ્ટિએ સામ્યભાવ ધારીને સ્વવિચારાચારનું મહદ્ વલ અવધાવવા સમર્થ બને છે. તેઓ સર્વ ધર્મ સર્વાધિપત્યને પ્રાપ્ત કરી શકે છે. આવી અધિકારતા વસ્તુતઃ સ્યાદાદ દષ્ટિધારક તત્ત્વચિન્તક મહાજ્ઞાનીઓને ઘટી શકે છે. જે વલમાં અન્ય સર્વ વર્ત લો સમાઈ જાય છે, તે વસ્તુલ વસ્તુત: મહાન ગણાય છે. તત અત્ર પણ જે ધર્મની દૃષ્ટિમાં સાપેક્ષ નયોગે સર્વ ધર્મ સત્ય વિચારાચારને અન્તર્ભાવ થાય છે. તે ધર્મ, સર્વ ધર્મમાં સાર્વાધિપત્ય ભાવને ધારી શકે છે. લઘુ વલમાં મહાવલને સમાવેશ થતો નથી, તદત જે દર્શન ધર્મ વા મત પિતાના લધુ સંકુચિત વિચારે અને આચારવાળો છે. તેમાં અન્ય વિશાલ વિચારાચારેવાળા મહા ધર્મોરૂપ મહા વર્તુલોને સમાવેશ થતો નથી. વીતરાગ કથિત સ્વાદ દષ્ટિએ જેન ધર્મનું વલ એવડું બધું મહાન છે કે તેમાં અનેક નય સાપેક્ષ દૃષ્ટિએ સત્ય વિચારે અને આચારે ભિન્નભિન્ન અધિકારીઓ માટે અસંખ્ય પ્રકારે ભિન્ન છે તેમાં વિચારની અપેક્ષાએ સર્વ ધર્મના તત્ત્વ વિચારેને સાપેક્ષ દૃષ્ટિમાં સમાવેશ થાય છે, અને ચારિત્ર્યક્ષ બાહ્યાભ્યન્તર આચારની અપેક્ષાએ અવિરતિ-દેશવિરતિ સર્વવિરતિ આદિ આચારને ચારિત્ર ધર્મમાં સમાવેશ થાય છે. ચારિત્ર્ય ધર્મના આચારના અસખ્ય ભેદ છે, અને સાપેક્ષપણે એકેક આચારને પાળતાં ધર્મની આરાધના હોઈ શકે છે. આવી સ્યાદ્વાદનોની અપેક્ષાવાળા જૈનદર્શનરૂપ મહાસાગરમાં સર્વ ધર્મને વિચારે અને આચારોને સમાવેશ થવાથી, અને કેવલ જ્ઞાનદષ્ટિમાં લોકાલોક રૂપ સર્વ વિશ્વનો સમાવેશ થવાથી, સર્વ ધર્મમાં જૈન ધર્મ, સર્વાધિપત્ય પદને યોગ્ય છે. પરંતુ વર્તમાનકાલે તેવી શાનદષ્ટિના ધારક નિઃસંગતાધારક, ધર્મરાજકીય- પ્રકરણના પરિપૂર્ણ, સર્વ ધર્મના દ્રવ્ય ક્ષેત્રાદિ સાથે જૈન ધર્મના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અવધીને તેવી સ્થિતિમાં સાપક્ષનયેગે વિચારે અને આચારોને વિશ્વમાં પ્રવર્તાવનાર મહાત્માઓના પ્રાદુર્ભાવની સાથે વિશ્વ મનુષ્ય જૈન ધર્મનું મહાન વર્તુલ અવબોધશે અને તેને અનુભવ કરવા પ્રયત્ન કરશે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy