________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
સર્વ ઇવેને પ્રાપ્ત થાય એવી કર્તવ્યતા પ્રતિ પ્રવૃત્તિ કરાય છે. આત્મજ્ઞાન એજ બ્રહ્મજ્ઞાન છે. આત્મજ્ઞાનના અનુભવની ખુમારીની ફુરણાઓ જીવતા શબ્દોને હદયદ્રારા ઉગીરે છે, અને આત્માભિમુખવૃત્તિની સાધનામાં આ ત્મબળને પ્રેરે છે. આવું અંતમાં પ્રવર્તતાં ભવિષ્યમાં આત્મપર્યાની શુદ્ધતામાં પરંપરાએ વૃદ્ધિ થશે એવો અનુભવ આવે છે.
સમભાવની દશામાં સ્થિરતા વિશેષ થાય એમ પ્રવૃત્તિ કરવી જોઈએ. કાયાની ચંચલતા, મનની ચંચલતા અને વચનને રોધ કરવાથી આત્માની સ્થિરતા થાય છે. આત્મજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવીને આત્મામાં લયલીનતા કરવાથી આત્માના ગુણોમાં સ્થિરતા થાય છે. આત્માને જ ફક્ત એક ઉપયોગ ધારણ કરવાથી સમભાવના માર્ગમાં વિચરતાં આગળ આત્માને શુદ્ધજ્ઞાનપ્રકાશ પ્રગટે છે. આ સંસારનું કોઈ પણ પિતાનું નથી, શુભાશુભ, પુણ્યપાપ સંબંધીનું કઈ પણ પિતાનું નથી, એવું મનમાં ખાસ નિર્ણયરૂપ થ. વાથી અને ફક્ત એક આત્માના શુદ્ધપગ પ્રતિ ખાસ ક્ષણે ક્ષણે લક્ષ, દેવાથી પુણ્ય-પાપના અને ભાવથી આત્મા ન્યારે રહેલો અનુભવાય છે. શુભાશુભમાં હું નથી અને તેમાં હું મારું એવી કુરણ ન થાય ત્યારે અવબોધવું કે સ્વયં પરમાત્મ સ્વરૂપથી ભિન્ન નથી. સ્વયં પરમાત્મા છું, એવો શુભાશુભ વિકલ્પ બંધ પડવાથી એવો અનુભવ આવે છે, એવી દશા પ્રાપ્ત કરવા આત્મવીય ફેરવવું. આવી દશામાં જ્ઞાની આવે છે ત્યારે તે સમભાવરૂપ પિતાને નિખે છે.
સં. ૧૯૭૦ અષાઢ. વદિ ૩,
For Private And Personal Use Only