SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७४ સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. પિતાના શુદ્ધધર્મ પર્યાયોની ગણનામાં તેને ઉપયોગ કર કે જેથી તું પણ અન્ય લોકોમાં ધર્મસ્મરણાર્થે વ્યક્તિના અવલંબન તરીકે ગણાય. ચરણકરણનુયોગની વિદત્તાને પિતાનામાં શુદ્ધ ચારિત્ર્ય પરિપૂર્ણ પ્રગટાવવા માટે ઉપયોગ કર. દ્રવ્યાનુયોગના જ્ઞાનનો સ્વાત્મ દ્રવ્યના શુદ્ધપર્યાની વ્યક્તતામાં ઉપયોગ કર. ચાર પ્રકારના અનુયોગના જ્ઞાનને પિતાના હિતાર્થે વાપર. ચાર અનુયેગને ઉદ્દેશ ચાર પ્રકારના અનુગ જ્ઞાનને ઉદ્દેશ પ્રત્યેક આત્માની ઉન્નતિ થાય એવા પ્રકારનો છે. ચાર પ્રકારના અનુયોગનું જ્ઞાન યથાયોગ્ય રીતે સંપ્રાપ્ત કરીને તેને ઉપયોગ ખરેખર પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે કરવો જોઈએ. ચાર પ્રકારના અનુગના જ્ઞાનનું ફળએ છે કે, સર્વ રાગાદિક વૃત્તિ તથા પ્રવૃત્તિથી વિરામ પામીને આત્માના શુદ્ધધર્મમાં લીન થવું, અને રાગાદિકને નાશ કરવા આભિષ્પરિણામે અને બાહ્યનિમિત્ત સાધન વડે પ્રવૃત્ત થવું. આ નિવત્તિમાર્ગ એ મુક્તિને રાજમાર્ગ છે, અને એવા સહોગમાર્ગે વા રાજમાર્ગ વિચર્યા વિના આ ન્નતિના અનુભવ પ્રાપ્ત કરી શકાય નહિ. ચાર પ્રકારના અનુયાગનું જ્ઞાન પિતાના આત્મામાં વિરતિભાવે પરિણમે એવી રાજમાર્ગની પ્રવૃત્તિ આદરવા એમ છે. ચેતન ! તું સાધુ, આચાર અને આત્મગુણોથી એવી સહયોગની દશામાં પરિણામ પામ, અને પરભાવથી પરિપૂર્ણ વિરામ પામ કે જેથી પરમાત્મદશા પ્રાપ્ત થવાની આ ભવમાં અનુભવજ્ઞાનમાં પરિપૂર્ણ નિશ્ચયતા થાય. હને થનારા જ્ઞાન અને ચારિત્રના અનુભવો આગળના અનુભવને પ્રગટાવે છે, અને જ્ઞાનચારિત્ર સંબંધી આગળના અનુભવે છે તે તેની આગળના અનુભવને પ્રગટાવે છે. આ પ્રમાણે પરંપરાનુભવ શ્રેણિયેના સંસ્કારોમાં એકઠું થતું જ્ઞાન, ચારિત્રબળ, છેવટ ચરિમ શુદ્ધ નૈયિક મુક્તિના અનુભવને પ્રગટાવે છે. માટે હે ચેતન ! હરામાં રહેલા પરિપૂર્ણ શુદ્ધજ્ઞાન નૈયિક અનુભવને પ્રકટ કર. તું જેમ જેમ રાગાદિક વિકલ્પસંકલ્પ વૃત્તિથી વિરામ પામીને પરમ પ્રેમથી અન્તમાં રમણતા કરીશ, તેમ તેમ તે તે અશે વિરતિ નિરત્તિ પ્રદેશોના અનુભવનન્દને પ્રાપ્ત કરીશ. બાહ્ય તથા આન્તરિક સાધન સામગ્રીની હને અમુકાશે પ્રાપ્તિ થઈ છે, અને હવે શુદ્ધ પગથી આગળની સામગ્રી પણ હારે પ્રાપ્ત કરવી જોઈએ. શરીરમતિ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy