SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૪૭૦ ની સાલના વિચારે. ઘણી જરૂર છે. બાહ્યના દૃશ્ય ઉચ્ચ વ્યવહારના આચરણથી વિશ્વ મનુષ્ય ખુશી રહે એવું મનમાં ન લાવવું જોઈએ. आत्मानुभव. બાહ્ય પદાર્થોમાં પ્રગટતી રૂચિ વૃત્તિને આત્મજ્ઞાનબળે અન્તર્મ કોઈ ગુણમાં રમાવવી, અને અન્તર્મ પરમપ્રેમ પ્રગટે તથા અન્તમાં રૂચિરસની ધારા વહે અને તેથી અન્તર્મુખ મન રહે એવું આત્મ સ્વરૂપ જાગ્રત રહે એમ પૂર્ણવીય પ્રવર્તાવવાની આવશ્યકતા છે. આત્માને પોતાના ધર્મમાં અત્યંત રાગ જેમ જેમ પ્રગટ થતો અવબોધાય છે, તે તે અંશે બાહ્યમાંથી અત્યંત રાગ ન્યૂન થતે અવાધાય છે. મહાસમર્થ આત્મજ્ઞાની સલ્લુરૂની કૃપાએ બાહ્ય દશ્યમાંથી રાગ ટળે છે અને અન્તમાં પ્રેમ લાગે છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં મન એટલું બધું રૂચિરસથી લીન થવું જોઈએ કે જેથી તેના પર સંસારની વિપત્તિની અસર ન થાય. આત્માના સ્વરૂપમાં વિશુદ્ધ પ્રેમરસથી એટલું બધું લીન થઈ જવું જોઈએ કે, સાત પ્રકારના ભયથી તેને વા શરીરને અંશમાત્ર પણ ચાંચલ્ય ન પ્રગટે. આત્માના સ્વરૂપમાં એટલું બધું લીન થઈ જવું જોઈએ કે, મનને બાહ્ય કોઈપણ વિષયમાં સ્વપ્નમાં પણ રૂચિ ન પ્રગટે. આત્માના શુદ્ધધર્મમાં વિશુદ્ધ રૂચિરસના તન્મયભાવથી મન લીન થઇ જવું જોઈએ કે, કીતિ અને અપકીતિના કોઈપણ શબ્દનવા વિચારની વા ગમે તે જાતની આત્માના પર અસર ન થાય. આત્માના શુદ્ધ સ્વરૂપમાં વિશુદ્ધ પ્રીતિથી મનને એટલું બધું કરવું જોઈએ કે, જેથી અઘાતી કર્મને પ્રારબ્ધ ઉદય ભોગવતાં છતાં શુભાશુભ વિકલ્પસંકલ્પમાં મનની પ્રવૃત્તિ ન થાય. આત્માના શુદ્ધ ધર્મમાં વિશુદ્ધોપયોગથી એટલું બધું મન લીન થઈ જવું જોઈએ કે વિશ્વમાં જાગતા છતાં જ્ઞાનભાવેનિવિકલ્પિકનિદ્રાની સ્થિતિને અનુભવ થાય.આત્માના શુદ્ધ ધર્મમાં પરમપ્રેમથી મને એટલું બધું લીન થઈ જવું જોઈએ કે જેથી આત્મશાસ્ત્રોનું અવલંબન લેવાની જરૂર અથવા અન્યજ્ઞાનીઓનાં અવલંબનની જરૂર ન રહે. આત્માનાશુદ્ધ ધર્મમાં મન એટલું બધું લીન થઈ જવું જોઈએ કે જેથી બાહ્ય વિષયોમાં કદાપિ સુખની ભાવના ન પ્રગટે. આત્માના શુદ્ધ ધર્મમાં મનને પૂર્ણ રસ પડે અને તેથી હેને વિષયભુખ થવાનાં નિમિત્તે મળે તે પણ તે આત્માના શુદ્ધ ધર્મમાં જ લાગી રહે એવી મનની શુદ્ધતા કરવાને હે ચેતન ! તું પ્રયત્ન કર, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy