________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
યાના મનુષ્યોને ચડાવી શકતો નથી તે ધમની, દુનિયાના મનુષ્યોના હૃદય કરતાં, પુસ્તકમાં અસ્તિતા વિશેષ દેખાય છે. જે જે ધર્મો એકવાર અખિલ વિશ્વમાં વ્યાપ્ત થઈને અમુક દેશ પ્રદેશમાં સંકુચિત વૃત્તિએ અસ્તિત્વ ભોગવે છે, તેનું કારણ ઉપર જણાવ્યા પ્રમાણે સગુણેથી પતન અને અનેકગુણવડે વાસિત થએલા ધર્મપ્રવકે અવધવા.
ધમવૃદ્ધિના હેતુઓ, ઉદરપૂર્તિની સાથે ધર્મની પ્રગતિને સંબંધ છે. જે ઘમમાં પરસ્પર એક બીજાને સાહાધ્ય આપવામાં આવે છે, તે ધર્મની વૃદ્ધિ થાય છે. જે ધમમાં એક બીજાને પ્રસંગોપાત્ત આજીવિકાદિનાં સાધનાની સાહાટ્ય કરવામાં આવતી નથી, તે ધર્મની પડતી થાય છે. જે ધર્મમાં ઉદારભાવના હોય છે, અને સ્વધર્મેતર મનુષ્યનું કલ્યાણ કરવા અનેક પ્રકારે તેમને જ્ઞાનાદિકનું દાન તથા સાહા આપવામાં આવે છે તે ધર્મની વૃદ્ધિ થાય છે.
જે ધર્મમાં સદાચાર યુક્ત જ્ઞાની મહાપુરૂષો હોય છે, તે ધમની વ્યાપકતામાં વૃદ્ધિ થાય છે. જે ધર્મમાં વિચારે, અને ગુણને આચારમાં મૂકીને દર્શાવનારા આદર્શ મહાત્માઓ પ્રકટે છે, અને સંધાદિકની વ્યવસ્થિત
જાપૂર્વક ધમદ્ધિ પ્રયત્ન કરે છે, ત્યારે તે ધર્મની વિશ્વમાં સજીવનતા અને વ્યાપકતામાં વૃદ્ધિ થાય છે. અપૂર્વશક્તિવાળા મહાપુરૂષો જે ધર્મમાં હેય છે તે ધર્મ પિતાનું મહત્ત્વરૂપ પ્રકટ કરે છે, અને જ્યારે એવા મહાપુરૂષનું અસ્તિત્વ હોતું નથી, અને તેના સ્થાને દુર્ગણી, દુરાચારી, અગ્ય ધર્મના પ્રવર્તક બને છે, તે વખતે તે ધર્મ અસ્ત થતા દીપકની પિડે જગાતમાં દેખાય છે. જે કાલે જે દેશમાં જેવી દશાવાળા મનુષ્યો દેખાય છે તે વખતે તેમની સ્થિતિ વગેરેને વિચાર કરીને જનસમાજને રૂચે અને તેઓની સર્વ પ્રકારની શુભ ઉલ્કાન્તિમાં વૃદ્ધિ થાય એ ઉપદેશ દેવામાં આવે છે, અને તે આચારમાં મૂકી બતાવી શકવામાં આવે છે, તે ધર્મની અસ્તિતા, અને વ્યાપકતા અવલોકવામાં આવે છે.
For Private And Personal Use Only