________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
ખાત
જડસ્વભાવે દેખી શકાય છે. આત્માના ગુણએજ આત્માને ધર્મ છે, એમાં અહંવૃત્તિ કરવાની કંઈ જરૂર નથી. એવો અનુભવ પ્રગટતાં સમભાવે આત્માને દેખી શકાય છે. મુનિ જ્યારે આ પ્રમાણે સમભાવરૂપ પ્રભુતાને પામે છે, ત્યારે તેના હૃદયમાં આનન્દને સાગર પ્રગટે છે. મુનિને આત્મ ગુણેમાં નિષ્પરિગ્રહ યાને નિમમત્વભાવે જે અનુભવ થાય છે, તેજ અનુભવ, સદા સહજ સુખસાગરમાં ઝીલાવવા સમર્થ થાય છે, અને પરિગ્રહ દુઃખમય છે એવું અનુભવ ગમ્ય કરાવવા સમર્થ થાય છે.
વાત. હે મુને ! તું રાગદ્વેષના વિકલ્પસંકલ્પોનો સંહાર કરીને સમભાવમાં રમણતા કર. હે મુને ! ગૃહસ્થોના પરિચયમાં આવતાં હારી જ્ઞાનાદિક લક્ષ્મીને નાશ ન થાય એવો ઉપગ રાખ.
મુને ! તું મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કર. મનના વિકલ્પસંકલ્પને દાબી દેવાથી મુખવડે બોલવાની પ્રવૃત્તિની નિવૃતિ થવાથી વચનગુપ્તિની સિદ્ધિ થાય છે. મને ગુપ્તિ અને વયનગુપ્તિ સિદ્ધ થવાથી કાયગુપ્તિની સિદ્ધિ થાય છે. મનગુપ્તિની સિદ્ધિ થવાથી વચનપર કાબુ મુક્તાં ઘણો પ્રયાસ કરવો પડતો નથી. અત્ર સમજવાનું એટલું જ છે કે સૂમગમાં ઘણી શક્તિ હોય છે. સૂક્ષ્મ મને યોગની ગુપ્તિ થવાથી આત્માની શક્તિોને વ્યય થતા અટકે છે, અને તેનું બળ વૃદ્ધિ પામે છે. તેથી પરિણામ એ આવે છે કે મને ગુપ્તિથી આત્માની વધેલી શક્તિ વડે વચનગુપ્તિ કરી શકાય છે. વચનગુપ્તિ થવાથી વાણીમાં અપૂર્વ અસરકારક બળ વધે છે, તેથી પ્રસંગોપાત બેલતાં અ૯૫ શબ્દમાં અસંખ્ય ગણી અસર કરનારી શકિત જામે છે. એક અનુભવી કહે છે કે રાત રાત વીર્યપાત થવા. આ કહેવતમાં પ્રાયઃ ઘણું સત્ય સમાયેલું છે, અને તે અનુભવમાં આવી શકે છે. સામાન્ય મનુષ્ય લાખે શબ્દ બેલીને અન્ય પર જે અસર કરે છે, તેના કરતાં મને ગુપ્તિ પૂર્વક વચનગુપ્તિમાં વિજય મેળવનાર મહાત્મા એક શબ્દવડે લાખગણી અસર કરે છે, અને તેને શબ્દ જગતમાં જીવતે રહે છે, અએવ વચનગુપ્તિની આવશ્યક્તા સિદ્ધ કરે છે.
For Private And Personal Use Only