SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો. ટ તે અનુક્રમને અનુસરીને સાધુએ ચારિત્રની આરાધના કરવી જોઇએ. રાગદ્વેષાદિકભાવસ સારના અન્તની સાથે દ્રવ્યસસારના અન્ય આવે છે. માટે સાધુઓએ દ્રવ્ય તથા ભાવસંસારના વિરહ કરવા પ્રયત્નવત થવું જોઇએ. સાધુઓએ પરની નિન્દા, ખટપટ, ક્લેશ, પરમાં રાગ અને પરની પંચાતાને ત્યાગ કરીને આત્માતા ગુણાવડે યુક્ત થવા માટે ઉપયુક્ત ગુણક્રમ, શ્રેણિ વડે ( પગથીયાં વડે ) મુક્તિ પ્રાસાદમાં આરાહવુ જોઇએ. જે સાધુ સ'સારથી વિમુખ થયેલા છે તે સાધુએ મુક્તિની સન્મુખ થાય છે, અને જે સાધુએ સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગદ્વેષાદિની સમુખ થાય, તે મુક્તિથી વિમુખ થાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રગુણ વડે માત્માની પરમાત્મદશા કરવી એજ સાધુત્વ છે. જે સાધુએ રાગદ્વેષના પરિણામને પ્રગટતાંજ વારે છે તે સાધુએજ સાધુત્વની ઉચ્ચ ગુણશ્રેણિ પર આરે હતા જાય છે. સ્વસ્વભાવમાં રમવુ. અને પરભાવ રમણતાને ત્યાગ કરવા એજ ભાવસાધુત્વ છે. ભાવસાધુત્વ પ્રગટાવવાને સમભાવ ધારવા અને આત્મગુણામાં રમણુતા કરવી, એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવે સાધુઓનું મુખ્ય કર્ત્તવ્ય છે. આ પ્રમાણે સવિગ્નાદિ ગુણાનું સાધન કરનારા સમભાવ આદિ ગુણીને પામી કર્મક્ષય કરી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. ॐ शान्तिः ३ X X Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ ગુરૂઓએ ધ્યાનમાં રાખવા યોગ્ય બીના. 1 ૧~~~ભાનકાલમાં મનુષ્યેાની કયા ધર્મ પ્રતિ વિશેષ રૂચિ થતી જાય જે ધર્મમાં જે લોકો છે તે ધમ પ્રતિ લેાકેાની કેવી રૂચિ છે અને ભૂતકાલમાં કેવી હતી તેની તુલના કરવાની આવશ્યક્તા. છે, ~~~~ધર્મ અને લોકોની પ્રવૃત્તિ એ એને પરસ્પર કેવો સબંધ છે ? ૩~~સમાજના વા માનિક આચારવિચારા અને આળુબાજુની પરિસ્થિતિ સાથે ધર્મને! સબંધ દરેક સંપ્રદાયમાં કેવા પ્રકારના છે, તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની આવશ્યકતા. ૪-ધર્મગુરૂઓએ ધર્મ પ્રતિ લોકોની રૂચિ વધે એવા સુધારા અને સાહિત્ય પ્રતિ લક્ષ દેવાની આવશ્યક્તા. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy