________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૩૭
nnnnnnnnnnnnnnnnnn
ઐય.” શસ્ત્રોના કરતાં જગતમાં ઐક્યબળ વિશેષ કાર્ય કરી શકે છે. એક સરખા વિચારો, એક સરખો પ્રેમ, એક સરખું સંકલ્પબળ અને એક સરખી પ્રવૃત્તિઓ અનેક મનુષ્ય જે જે કાર્યો કરે છે તેમાં તેઓને વિજય દેવી વરમાળા આપ્યા વિના રહેતી નથી. ઐક્યબળથી મતિકલ્પના વડે અકથ્ય કાર્યોનું શીધ્ર પરિણામકર ફલ પ્રગટે છે, કે જેને અવલોકી મનુષ્ય એયબળનું મુક્તકંઠે એકી અવાજે વર્ણન, પ્રશસન ર્યા વિના રહેતા નથી. ઐયબળ જ્યાં પ્રગટીને પિતાની શક્તિ સ્કુરાવે છે. ત્યાં પ્રત્યક્ષ સમ્મુખ પ્રગટ થતી સહસ્ત્ર વિદનમાળાઓ પણ વાયુથી અભ્રવૃન્દ વિખરાય છે, તદત વિલય પામી જાય છે. ઐક્ય બળ વિનાના મનુષ્ય સ્વાસ્તિત્વબીજાભિવૃદ્ધિસંરક્ષણ પૂર્વક પરંપરા પ્રવૃત્તિમાં સ્વાત્મબળને વાપરી શકતા નથી, અને તેથી સ્વાસ્તિત્વવર્ધક શુભ બીજ સંતાનરૂપ પ્રત્યેક મનુષ્ય વ્યક્તિને સામાઓના ઐક્યબળથી નાશ કરાવવામાં સંકુચિત સ્વાર્થ પરાયણ અંધત્તિથી સાહાકારક પરસ્પર તેઓ બને છે. વાસ્તવિક આયતિ દીર્ધદષ્ટિધારક, સમયજ્ઞ, સ્વપરાર્થ સાધક મનુષ્ય સંસાર વ્યવહારમાં તથા પરમાર્થ વ્યવહારમાં સ્વાસ્તિત્વ બીજાભિવૃદ્ધિને પિષક સદુપાને પ્રતિદિન ઐક્યબળથી પ્રગટાવતા જાય છે. વ્યાવહારિક શુભ ધાર્મિક કાર્યોની અભિવૃદ્ધિ પૂર્વક તત્સરિક્ષામાં ભિન્ન ભિન્ન અનેક મનુષ્ય સંઘબળની એકતાની આવશ્યકતા, પ્રત્યેક કાલમાં અમુક કારસેના અવલંબનની અપેક્ષાએ સિદ્ધ થઈ શકે છે. પારમાર્થિક, નૈઋયિક ધર્મા વાપ્તિ માટે માનસિક એકજાતીય વિચાર સંતાન પરંપરાનું ઐક્ય અત્યંત ઉપયોગી થઈ પડે છે. ભિન્ન ભિન્ન વિજાતીય વિચાર બળની પરસ્પર મનુવ્યોમાં એકતા કરવા માટે સર્વત્ર સાપેક્ષિક સજાતીય મળતા વિચારોને પ્રગટ કરવામાં આવે તે વર્તમાન અને ભવિષ્યની ઉન્નતિનાં ઉચ્ચ શુભ ફળ માટે ભવિષ્યની પ્રજાના અનંતા શિરદો ગ્રહી શકાય, માટે નિષ્કામ દશાએ સ્વાધિકારે કર્તવ્યને આચારમાં મૂકવું જ જોઈએ.
For Private And Personal Use Only