SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૭૦ ની સાલના વિચારે. અને કૃતકૃત્યાવસ્થામાં પણ જોવાધિwત્તે એ વાક્યનું સ્મરણ કરીને નિષ્કામપણે સેવા કરવી જોઈએ, અને પ્રારબ્ધ જ્યાં સુધી ભેગવવાનું છે ત્યાં સુધી પિતાની ફરજ છે એમ માનવું જોઈએ. દેશ, કોમ, નાત, કુટુંબ, સમૂહ, ગચ્છ, ધર્મ, સમાજ, સંઘ વગેરેની સેવા કરવી એ પિતાની ફરજ છે, તેથી અનેક સંકટ પડતાં છતાં પણ કંટાળવું ન જોઈએ. સેવાધમને નિલે પપણે જે સેવે છે, તે અપ્રતિપાતિ ગુણને પ્રાપ્ત કરે છે. નામ રૂપનું અભિમાન જેઓને નથી તેઓ જગતની સમ્યક સેવા કરી શકે છે. આખી દુનિયા સેવાધર્મથી ઉન્નતિ ક્રમ પર ચઢે છે. દુનિયાના જીવો પર જેને પ્રેમ નથી, અને દુનિયાના છ માટે જેણે પિતાની શક્તિને આત્મભોગ આપ્યો નથી, તે પ્રભુની પાસે મહાન પદ માગે તે હાસ્યપાત્ર ઠરે એમાં કંઈ આશ્ચર્ય છે? શરીરમાં રહેલે આત્મા સ્વામી છે. ઈન્દ્રિય, હસ્ત, પાદ વગેરે સેવકો છે. આપણે આપણું જીવનમાં પિતાના સેવક છીએ, અને પિતાના સ્વામી છીએ. દરરોજ આપણામાં સ્વામી અને સેવકને ધર્મ ચાલ્યા કરે છે. “ જેવું પિડે. તેવું બ્રહ્માંડે ” એ નિયમાનુસારે પિતાના જેવું સર્વત્ર જેમાં બની રહ્યું છે. મગજની સમતલતા, પ્રેમ, ખંત, કંટાળવું નહિ, ભય, ખેદ અને દ્વેષનો ત્યાગ, સતતસાહ, ત્યાગ, નિષ્કામબુદ્ધિ અને સર્વના શ્રેયમાં આત્મભોગ ઈત્યાદિ ગુણે જે જે અંશે વિશેષ ખીલે છે, તે તે અંગે સર્વ પ્રકારની ઉત્તમ સેવા કરી શકાય છે. સેવામાં સ્વાર્થના કરતાં વિશેષ પરમાર્થ રહ્યા છે એમ સિદ્ધ થાય છે. સેવાધર્મથી ભ્રષ્ટ થએલ આત્મજ્ઞાની આગળ રાને પાછળ પડે છે, એમાં કહેવામાં જે જે અપેક્ષાઓ વિચારવાની છે, તે ધ્યાનમાં રાખવી જોઈએ. સેવાધર્મ એ રાજમાર્ગ છે તેમાં ઉંધી જનારને પશુ જાગ્રત કરી આગળ ચલાવનાર પાછળના સેવક તૈયાર હોય છે. દુનિયાના સર્વ પ્રાણીઓના દુઃખેને નાશ કરે અને તેઓના ભલામાં ભાગ લેવો, તેમાં પડનાર વિને તે છતાં એજ આત્માનીને ખાસ લક્ષ્યમાં રાખ જોઈએ. પોતાને સદ્વિચા અને સદાચારના છે અને લાભ આપ હોય તો સેવાધર્મ વિના અન્ય ઉપાય નથી. પરમાત્માના તરફ આખી દુનિયાને યથાશક્તિએ વાળવાને ઉપાય સેવાધમ છે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy