________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
પ્રત્યેક મનુષ્યના આચારે અને વિચારમાં પરિપૂર્ણ સત્યતા હોય એમ માની લેવું એમ તે વચનમાત્રથી કળી શકાય છે. શ્રી સર્વજ્ઞ વીતરાગ દેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારોમાં અને આચારમાં સત્યતા ન હોઈ શકે, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અમુકશે સત્યતા હોઈ શકે છે બનવા ચોગ્ય છે. શ્રીવીતરાગનાં વચનોની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભેદે સત્ય અને અસત્ય એવા આચાર અને વિચારે મનાય છે, તેમાંથી ઘણું સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સત્ય હોય છે, અને તે જ બાબત અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત્ય હોય છે. વ્યવહારનયથી અમુક બાબત અમુકરૂપ ગણાય છે, અને તે જ અમુક બાબત નિશ્રયદષ્ટિથી વિચારીએ તે અમુકરૂપ લાગે છે. દરેક વસ્તુને અનેક દષ્ટિથી અનેકપેક્ષાએ તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારેને ભિન્નભિન્ન અપેક્ષાઓએ જાણવા જોઈએ, અને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખીને ય, રેય અને ઉપાદેયબુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદ્રષ્ટિથી જે દેખે છે તે કેઈ પણ બાબત પર અમુકશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીંદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા થતાં પૂર્વના વિચારે કેરતાં ઉત્તરના વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલું નિર્ણય થાય છે, તેટલું તે કાળે નિર્ણય માટે સત્ય રૂપે તે કાલની અપેક્ષાએ હોય છે, એમ અપેક્ષાએ વિચારીએ તો આખા જગતમાં મનુષ્યોના આચાર અને વિચારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે, અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યાવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય.
સેવા ધર્મ, પિતાના શરીરાદિની સેવા ગમે તેવી ઉચ્ચ સ્થિતિ થયા છતાં કરવી પડે છે, તેથી સ્વાભાવિક રીતે સિદ્ધ થાય છે કે–રૂપ લીલાના એ સુત્ર ઘણું સરસ ઉદેશથી રચાયું છે. આત્મજ્ઞાનીઓએ ગમે તેવી નિસ્પૃહ
For Private And Personal Use Only