SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો. અને ભાવયેાગે આવા સ્યાદ્વાદનાનીએ પ્રગટે છે તે કાલમાં જૈનશાસન સૂર્ય સત્ર તપતા દેખાય છે. X X Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Be × નયાની અપેક્ષાએ જૈતા નેગમનયની અપેક્ષાએ જૈનધર્મને આધશ્રદ્ધાએ માનતા હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતા હોય, પ્રભૂતી પૂજા કરતા હોય. દેવ ગુરૂની ભક્તિ કરવાને ભાવ હાય, તિથિએ નવકારશીનું પ્રત્યાખ્યાન કરત હાય તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પાતાનામાં ન પ્રગટયા હોય છતાં ઉપચારથી તેને પેાતાનામાં સ્થાપન કરતા હોય તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવીસ ગુણા, સત્તર ગુણો અને ખાર વ્રત વગેરે ગુણા પોતાનામાં ન હોય તાપણુ તેના અંશ રૂપ પરિણામવડે તે તે ગુણોને પોતાનામાં ઉપચાર કરતા હોય અને વસ્તુતઃ તે તે ગુણે પોતાનામાં ન પ્રગટયા હાય તેપણ તે નૅગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુનાં વ્રત અને સાધુના ગુણામાં એકાંપરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નાગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૅગમનય એકાંશરૂપ વસ્તુને ધવા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થએલા જાણી સપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઇ એમ માને છે. વસ્તુના એક અંશ પ્રગટયા હોય તો તે વસ્તુ આખી ઉત્પન્ન થઇ એમ માનવું એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્ય જૈન થવાના પરિણામ ધારણ કરીને અંશ થકી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે વા જે કુળથકી જેને છે. અન્તમાં મિથ્યાલી છતાં જે જૈનધર્મની ઉપર ઉપરથી ક્રિયાઓ કરે છે તે સર્વે એધે ગણાતા નૈગમનયની અપેક્ષાએ જૈના છે. જૈનધર્માંના એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંશથી જૈનધમ માં પ્રવૃત્ત થનાર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નાગમનયની અપેક્ષાએ ચતુવિધ સંધ ગણાય છે. સ ંગ્રહનયની અપેક્ષાએ જેએનામાં સત્તાએ જૈનપણું રહ્યું છે એવા સર્વ જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વી, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે એવા સર્વ જીવે સગ્રહનયની અપેક્ષાએ ચતુવિધ સધ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારો જે પાળતા હોય તે જેના કહેવાય છે. સંગ્રહનય
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy