________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે.
ધર્મ માની પ્રવૃત્તિ કરવી જોઈએ. સેનાપતિ જે હુકમ કરે તે પ્રમાણે સૈનિકેએ ચાલવું જોઈએ; તે પ્રમાણે સામાન્ય સાધુઓએ પણ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ.
ગચ્છના સાધુઓએ ગીતાની આજ્ઞા પ્રમાણે વર્તવું. જે સાધુ પિતાના ગચ્છની આજ્ઞાનું અપમાન કરે છે તે આત્મકલ્યાણ કરી શકતો નથી. ગચ્છના અધિપતિની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ગચ્છના સાધુઓનું અને સાધ્વીએનું કલ્યાણ થાય છે. જે ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ પરસ્પર લેશ કરે છે અને ગાળાગાળી આપે છે તે ગ૭ને ગ૭ કહે એમ ગચ્છાચારપયન્સામાં જણાવ્યું છે. ગચ્છમાંના સાધુઓ પિતાની સ્વચ્છતા પ્રમાણે વર્તે છે તે આરાધક થતા નથી. જે ગચ્છના સાધુઓ શાને તિરસ્કાર કરે છે તે ગચ્છને કુગચ્છ કહે. જે સાધુઓ ગચ્છના કાયદા પ્રમાણે ચાલી શકતા નથી તેઓ ગચ્છને નાશ કરીને હીલના કરે છે. ગચ્છમાં રહેનારા સાધુ
એ ક્ષાત્યાદિક દશ પ્રકારને ધર્મ પાળવો જોઈએ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવા સદાકાલ લક્ષ રાખવું. ગચ્છમાં રહેનારા સાધુ
એ કદિ ગુરૂના સામું બોલવું નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગચ્છના કાયદાને માન આપીને વર્તવું. આચાર્ય, ઉપાધ્યાય, વિર, રન, ગણિ એ પાંચ વડે ગચ્છ શોભી શકે છે. જે ગચ્છના સાધુઓ પિતાના ગુરૂની નિન્દા કરે છે તેઓ ભૂંડના કરતાં પણ નીચ જાણવા. ગચ્છમાં રહેનારા સાધુઓએ કેઈની નામ દઈને નિન્દા કરવી નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ કેઈની સાથે ક્લેશ કરવો નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગચ્છના અધિપતિના સદાકાલ તાબે રહેવું. ગચ્છમાં રહેનારા સાધુઓએ સાધુઓના આચારપા ળવા સદાકાલ ઉધમવંત રહેવું.
For Private And Personal Use Only