SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૬૯ ની સાલના વિચારે. સદ્દગુણે પર લક્ષ રાખવું, કેની નિન્દા કરવાથી થતી સ્વપરને હાનિ, કોઈ પણ આત્માની ઉન્નતિ કરવી હોય તે તેનામાં પ્રગટેલા ગુણોનું વર્ણન કરવું પણ તેમાં છતા વા અછતા દુગુણની નિન્દા કરવી નહિ, તેમજ તેના ઉપર આળ આક્ષેપ કરવા નહિ. કેઈને અવનતિના ખાડામાં ઉતારો હોય તો તેના ઉપર આક્ષેપ કરવા એજ બરસ છે. કોઇની નિન્દા કરનાર મહાપાપ કરી શકે છે. લુચ્ચા, બદમાશ, પાખંડી, ધૂર્ત, બેવકૂફ, ઠગારે, કપટી, જૂઠે વગેરે અપશબ્દોથી સામામનુષ્યની જીંદગીને ખરાબ કરી શકાય છે. કોઈ મનુષ્ય પર આક્ષેપ કરવાથી વા તેના સંબંધી બેટી અફવા ઉડાડવાથી તે મનુષ્ય પૂર્વે તે ન હોય તે પણ તેને પરિપૂર્ણ આત્મબળના અભાવે બની શકે છે. કોઈનામાં જે દોષ ન હોય તેને તે દોષવાળા કહેવાથી મહા અનર્થ થાય છે. જેનામાં દેષ છત હોય છે તે વડે તેની હેલના કરવાથી તે ધીઠ બની જાય છે. કોઈ પણ મનુષ્યને દેષથી પાછો હઠાવવો હોય તે દોષથી થતી હાનિનું સ્વરૂ૫ વર્ણવવું, એમ કરવાથી જેનામાં જે દેષ હોય છે તેને તે દોષને ત્યાગ કરવાની અભિલાષા પ્રગટે છે. કોઈની મશ્કરી કરવાથી તેને ધણી હાનિ પહોંચાડી શકાય છે, અને મશ્કરી કરનારના માનસિક વિચારમાં અશુદ્ધતાને સંચાર થાય છે. કોઈ મનુષ્યની આડી અવળી મોટી વાત કરવાથી તેના મનમાં ખરાબ લાગણું ઉત્પન્ન થાય છે. કોઈના ઉપર આળ ચઢાવવાથી તેની પડતી થાય છે, એટલું નહિ કિન્તુ તેના સમાગમમાં આવનારાઓને પણ તેથી ઘણું હાનિ પહોંચે છે, તેમજ આળ ચઢાવનારમાં ઘણું દુર્ગણોને પ્રવેશ થાય છે. આળ ચઢાવનાર મનુષ્ય અપર જે દુષ ને આરેપ દે છે, તે જ દૂષણે તેનામાં પ્રવેશે છે અને તે તથા તેની પાસે આવનારાઓમાં તેવી જંતનાં દુષણોના સૂક્ષ્મ સંસ્કાર પડે છે, તેમજ તે અવસર. પામીને તેઓનામાં સ્થૂળ રૂપ દૂષણો પ્રગટી નીકળે છે. મુનિમાં ઉત્તમ સગુણ હોવા જોઇએ. ગૃહસ્થોમાં કામ સદ્ગુણો હોવા જોઈએ. વ્યક્તિ પરત્વે આળ દઈને દેને કેદમા પર આક્ષેપ કરવો નહિં એજ સજજન, જ્ઞાની અને આખી દુનિયાના શુભ સેવાનું ખાસ કર્તવ્ય છે. પ્રત્યેકમનુષ્યને સારું ગમે છે. ગમે તેવો ખરાબ મનુષ્ય હોય પણ તેને સારૂ કહેવામાં આવે તે સારું લાગે છે. ગમે તે મનુષ્યમાં દુર્ગણ હોય તે તેની આગળ તે દગુણના પ્રતિપક્ષીરૂપ સગુણનું વર્ણન કરવું. જે તેને સગુણ પર પ્રેમ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy